ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના : સરકાર તરફથી મળશે દર મહિને 1250 રૂપિયાની સહાય

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના : વિધવા સહાય યોજના હેઠળનો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે. Vidhva Sahay Yojana પ્રોત્સાહન આપવામાં આવશે જેથી તેઓ નજીકના ભવિષ્યમાં સ્વસ્થ જીવનશૈલી મેળવી શકે , અને તે આત્મનિર્ભર બનીશકે અને તેઓ તેમના બાળકનું શિક્ષણ પણ આગળ વધારી શકે.વિધવા સહાય યોજના બહેનોને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ Vidhva Sahay Yojana યોજનાનો લાભ મળશે.

આ પણ વાંચો : IIT ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના

રાજયમાં સામાજિક રીતે નબળાં વર્ગો માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગો, વૃદ્ધો વગેરે માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. જેવી વૃદ્ધ સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી Vidhva Sahay Yojana Gujarat Online Application યોજના વિશે માહિતી આપીશું. Women And Child Development Department, Gujarat દ્વારા મહિલાઓને વર્તમાન પ્રવાહમાં લાવવા માટે, સ્ત્રી સશક્તિકરણ કરવા માટે વિવિધ યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં વ્હાલી દિકરી યોજના, 181 મહિલા હેલ્પલાઈન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્‍દ્ર, સખી-વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC) વગેરે યોજનાઓ ચાલે છે. વિધવા સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવાની હોય છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામવિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના)
લાભ કોને મળશેનિરાધાર વિધવા બહેનોને
યોજનાના ફાયદા1250 રૂપિયા દર મહિને સહાય કરવામાં આવશે
યોજનાનો ઉદ્દેશવિધવા બહેનોને સારું જીવન જીવવાની તક આપવાનો
ફોર્મ ક્યાંથી મળશેગ્રામપંચાયત/તલાટી/મામલતદાર/જન સેવા કેન્દ્ર કચેરી ખાતેથી તથા online
ફોર્મ ક્યાં જમા કરાવવુંગ્રામપંચાયત/તલાટી/મામલતદાર કચેરી ખાતે તથા online

ગંગા સ્વરૂપા યોજનાનો હેતુ

સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અન્‍વયે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) ” કરવામાં આવ્યું છે. જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.

આ પણ વાંચો : [BMC] ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • વિધવા સહાય યોજના બહેનોને દર મહિને તેમના પોસ્ટ અથવા બેંક (WFA) ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) થી રૂપિયા 1250 જમા કરવામાં આવશે.
  • આ પેન્શનની રકમ દરેક મહિનાના પહેલા અઠવાડિયામાં લાભાર્થી બહેનોના ખાતામાં જમા કરવામાં આવશે.
  • વિધવા સહાય યોજના મેળવતા લાભાર્થી બહેનનું જો અકસ્માતે મૃત્યુ થાય તો સરકારની ગુજરાત સામૂહિક જૂથ(જનતા) અકસ્માત વિમા યોજના અંતર્ગત તેમના વારસદાર ને રૂપિયા 1,00,000 (એક લાખ) ની આર્થિક સહાય મળવાપાત્ર છે.

યોજનાનો લાભ લેવા માટે ઉમેદવારની પાત્રતા

  • 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા બહેનોને આ યોજના નો લાભ મળે છે.
  • આ યોજના નો લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1,20,000 (એક લાખ, વીસ હજાર) અને શહેરી વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1,50,000 (એક લાખ, પચાસ હજાર) સરકાર દ્વારા રાખવામાં આવી છે.
  • આ યોજનાનો લાભ મેળવનાર 18 થી 40 વર્ષની તમામ બહેનોને ફરજીયાત 2 વર્ષમાં સરકાર માન્ય કોઈપણ ટ્રેડની (વ્યવસાયલક્ષી) તાલીમ લેવાની રહેશે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો

વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા નક્કી કરેલા છે. વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચે મુજબના છે.

  • વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડની નકલ
  • આવક અંગેનો દાખલો
  • વિધવા હોવા અંગેનો દાખલો
  • પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર
  • અરજદારની ઉંમર અંગેના પુરાવા
  • બેંક ખાતાની નકલ

યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

વિધવા સહાય યોજના ફોર્મનું ફોર્મ ભરવા બાબતે નાગરિકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે. પ્રિય વાંચકો, Vidhwa Pension Scheme નું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. વિધવા લાભાર્થી જો ગ્રામ વિસ્તારના હોય તો તેમને ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જો તાલુકાના અરજદાર હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી કરવાની રહેશે. જેની વધુ માહિતી નીચે મુજબ છે.

  • વિધવા લાભાર્થીઓ સૌપ્રથમ તમામ ડોક્યુમેન્‍ટ ભેગા કરવાના રહેશે.
  • તમામ ડોક્યુમેન્‍ટ એકઠા કર્યા બાદ ગ્રામ પંચાયતના લાભાર્થી હોય તો VCE પાસે જવાનું રહેશે.
  • અને જો તાલુકા/નગરપાલિકા વિસ્તારના લાભાર્થી હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી જવાનું રહેશે.
  • VCE અથવા મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર તમને vidhva sahay yojana gujarat form pdf આપશે.
  • જેમાં અરજદારે ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે. જેની સાથે તમામ દસ્તાવેજો આપવાના રહેશે.
  • વિગતો ભર્યા બાદ તલાટીશ્રીના સહી-સિક્કા કરીને ખરાઈ કરવાની રહેશે.
  • ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરશે.
  • Digital Gujarat Portal
  • ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારને એક પાવતી આપવામાં આવશે.
  • વિધવા લાભાર્થીની ઓનલાઈન અરજી કન્‍‍ફર્મ થઈ જશે.
  • છેલ્લે, લાભાર્થીઓ પોતાનો અરજી ક્રમાંક NSAP Portal પર ઓનલાઈન ચેક કરી શકશે.
આ પણ વાંચો : કુંવરબાઈનું મામેરું યોજના 2023 : આ યોજના હેઠળ કન્યાઓને મળશે રૂપિયા 12000 ની સહાય

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર વેબસાઇટ Click Here
HomePageClick Here