સુગંધિત પાકો માટે સહાય યોજના 2023 : ફૂલોના વાવેતર માટે મળશે રૂપિયા 20,000 ની સહાય

રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. તાજેતરમાં વર્ષ 202324 બાગાયતી યોજનાઓ અમલી બનાવેલ છે. આ વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ અનેક યોજનાઑ બનાવવામાં આવી છે. આ યોજનાનો તાજેતરમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન મૂકવામાં આવી છે. ખેડૂતોને સુગંધિત પાકોના વાવેતર તરફ વાળવા માટે આ યોજના અમલી બનાવેલ છે. સરકાર દ્રારા અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના નામની યોજના બહાર પાડવામાં આવી છે. Assistance Scheme for Other Aromatic Crops in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.

આ પણ વાંચો : વરાછા કો-ઓપરેટિવ બેન્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

સુગંધિત પાકો માટે સહાય યોજના 2023

Ikhedut પોર્ટલ પર વિવિધ બાગાયતી યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેમાં Assistance Scheme for Other Aromatic Crops in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે?, કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.

સુગંધિત પાકો માટે સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામઅન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂત કે જેમને સુગંધિત પાકોનું વાવેતર કરેલ છે તેમણે સહાય પૂરી પાડવી
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? વધુમાં વધુ રૂપિયા 20,000/ ની સહાય મળે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023

સુગંધિત પાકો માટે સહાય યોજનાનો હેતુ

ગુજરાતના ખેડૂતો હવે રોકડિયા પાક તરીકે સુગંધિત પાકોનું વાવેતર કરે છે. આ માટે બાગાયત વિભાગ દ્વારા ખાસ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો હેતુએ એવા ખેડૂતને લાભ આપવો કે, જે સુગંધિત પાકોનું વાવેતર કરેલ છે તેમણે સહાય પૂરી પાડવી.

આ પણ વાંચો : પાદરા નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 8 પાસ ઉપર ભરતીની જાહેરાત

આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ

અનુસુચિત જાતિના ખેડૂતો માટેપ્રતિ હેક્ટર 0.40 લાખમાં ખર્ચના 40% અથવા મહત્તમ 16,000/- બંને માથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. લાભાર્થી દીઠ 4.00 હેક્ટર ની મર્યાદામાં રાખવામા આવેલ છે.
અનુસુચિત જનજાતિના ખેડૂતો માટેપ્રતિ હેક્ટર 0.40 લાખમાં ખર્ચના 50% અથવા મહત્તમ 20,000. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. લાભાર્થી દીઠ 4.00 હેક્ટર ની મર્યાદામાં રાખવામા આવેલ છે.
સામાન્ય જાતિના ખેડૂતો માટેપ્રતિ હેક્ટર 0.40 લાખમાં ખર્ચના 40% અથવા મહત્તમ 16,000. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. લાભાર્થી દીઠ 4.00 હેક્ટર ની મર્યાદામાં રાખવામા આવેલ છે.

યોજનાનો લાભ લેવા ઉમેદવારની પાત્રતા

અન્ય સુગંધિત પાકો માટેની સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • ખેડૂત લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદામાં રાખવામાં આવી છે.
  • પ્લાન્ટીંગ મટેરીયલ માટે NHB દ્વારા એક્રીડેશન થયેલ/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખરીદી કરવાની રહેશે.
  • Tissue culture પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/ એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે.
  • બિયારણ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી સારી ગુણવત્તાવાળુ બિયારણ ખરીદી કરવાનું રહેશે.

સુગંધિત પાકોનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો

I khedut Portal પર ચાલતી અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ (Anyror Gujarat )
  • આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

જો તમે પણ અન્ય સુગંધિત પાકો માટે સહાયનો લાભ મેળવવા માગો છો, તે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

આ પણ વાંચો : પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના : યોજના અંતર્ગત મળશે 1 લાખ 20 હજારની સહાય
  • સૌપ્રથમ Ikhedut ની ઓફિશિયલ વેબસાઈટ ખોલો.
  • ત્યાર બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરો.
  • ત્યાર બાદ“બાગાયતી યોજનાઓ’ પર Click કરવી પડશે.
  • જેમાં નંબર-2 પર અન્ય સુગંધિત પાકો માટેની સહાય યોજના” પર ‘અરજી કરો’ પર ક્લિક કરો.
  • જો તમે OnlineRegistration કરેલ હોય તો આધારકાર્ડ અને મોબાઇલ નંબર નાખો.
  • લાભાર્થીએ i-khedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘NO’ સિલેકટ કરવું.
  • હવે ‘નવી અરજી કરવા ક્લિક કરો’ પર ક્લિક કરો.
  • માહિતી ભર્યા બાદ અરજી Save કરો ના Option પર ક્લિક કરો.
  • એક વાર અરજી Confirm થયા બાદ Application માં કોઈ પણ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here