Advertisements

પ્રિય વાચક મિત્રો નમસ્કાર, આપ સૌ વાચકો જો રાંધણ ગેસના સિલિન્ડર ની કીટ ફ્રીમાં મેળવવા ઈચ્છતા હોય તો અહીંયા આપને Pradhan Mantri Ujjwala Yojana in Gujarati માં સંપૂર્ણ જાણકારી પૂરી પાડવામાં આવશે. જેનાથી આપ આ યોજના ની અરજી સરળતાથી કરી શકશો અને લાભ મેળવી શકશો.
આજની આ યોજનાને સંપૂર્ણ વાંચ્યા બાદ આપને આ યોજના સંબંધીત કોઈપણ પ્રકારનાં પ્રશ્નો રહેશે નહી અને આપ ખુબજ જ સરળતાથી અરજી કરી શકશો. તો આજની આ યોજના ને ધ્યાન પૂર્વક વાંચવા આપ સર્વો વાચકો ને વિનંતી.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022
પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના એ આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલ હતી.કેન્દ્ર સરકાર દ્વારા 1 મે 2016 નાં દિવસે આ યોજના નો પ્રારંભ થયો હતો. આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર BPL અને APL મહિલાઓ અને ભારતના રેશનકાર્ડ ધારકોને આ ગેસ પ્રદાન કરી રહી છે.આ યોજના ને શરૂ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે જે મહિલાઓ ગામડાઓ માં રહે છે અને રસોઈ બનાવવા માટે લાકડા અને અન્ય ઈંધણ નો વપરાશ કરી ને તેના જેરી ગેસ થી થતી બીમારીઓ થી બચાવી શકાશે. આ યોજના થી દેશ ની લાખો મહિલાઓ ને ફાયદો મળ્યો છે અને તેઓ નાં સ્વાસ્થ્ય નું ધ્યાન પણ રાખી શકાયુ છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના – હાઈલાઈટ્સ
યોજના નું નામ | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022 |
સહાય | 14.2kg સિલિન્ડર માટે ગેસ કનેક્શન/ 5 kg સિલિન્ડર માટે ગેસ કનેક્શન |
રાજ્ય | પૂરા ભારત દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમામ મહિલાઓ જે ઘરમાં રસોઈ બનાવવા માટે લાકડા કે અન્ય કોઈપણ વસ્તુ નો ઉપયોગ કરે છે તે તેમના સ્વાસ્થ્ય અને તેમના બાળકો માટે હાનિકારક છે. તેથી તેઓએ લાકડાનો ઉપયોગ કરવાને બદલે એલપીજી ગેસનો ઉપયોગ કરે જેથી બાળકો અને તેમના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય. |
લાભાર્થી | દેશ ની તમામ મહિલાઓ |
અરજી નો પ્રકાર | ઓનલાઈન અને ઓફલાઈન |
સંપર્ક | નજીક ની ગેસ એજન્સી www.pmuy.gov.in |
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મળવાપાત્ર લાભો
આ યોજના અંતર્ગત ગરીબ અને છેવડાના ગામમાં રહેતી મહિલાઓ ને ગેસ નું કનેક્શન મળશે.અને વધુ માં તેઓ ને 1600 રૂપિયા સુધી ની પોતાના બેંક નાં ખાતા મા સબસિડી પણ જેમાં થશે જેના થી તેઓ આર્થિક રીતે પણ ઉપર આવી શકશે.
પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનામાં ગેસ કનેક્શન માટે 1600 (કનેક્શન માટે 14.2kg સિલિન્ડર/ 5 kg સિલિન્ડર માટે રૂ. 1150). રોકડા સહાય આપવામાં આવે છે.વધુ વિગતો નીચે મુજબ ની છે.
- 14.2 Kg ના સિલિન્ડર ની સિક્યુરિટી ડિપોઝિટ 1,250 રૂપિયા
- 5 Kg ના સિલિન્ડર ની સિક્યુરિટી ડિપોઝિટ 800 રૂપિયા
- LPG હોસ 100 રૂપિયા
- રેગ્યુલેટર 150 રૂપિયા
- ડોમેસ્ટિક ગેસ કન્ઝ્યુમર કાર્ડ 25 રૂપિયા
- નિરીક્ષણ ચાર્જ 75 રૂપિયા
- PMUY લાભાર્થીઓને પ્રથમ એલપીજી રિફિલ અને સ્ટોવ (હોટપ્લેટ) બંને મફતમાં આપવામાં આવશે અને સાથે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા તેમના ડિપોઝિટ ફ્રી કનેક્શન પણ આપવામાં આવશે.
આ યોજનાનો લાભ મેળવવા માટેની યોગ્યતા
આ યોજના માટે સરકાર શ્રી દ્વારા નીચે મુજબ ની પાત્રતા ધરાવતી મહિલાઓ ને ગેસ કનેકશન આપવામા આવશે.
- લાભાર્થી મહિલા હોવા જોઈએ.
- લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- પ્રધાનમંત્રી આવાસ યોજના વાળા કુટુંબો.
- અનુસૂચિત જાતિ અને જનજાતિ પરિવારો.
- અતિ પછાત વર્ગ નાં પરિવારો.
- આદિવાસી વિસ્તારના પરિવારો.
- ચા અને ભૂતપૂર્વ ગાર્ડન આદિવાસીઓ.
- અંત્યોદય અન્ન યોજના પરિવારો.
- નદી અથવા ટાપુઓ માં રહેતા લોકો.
- લાભાર્થી ની ઉંમર 18 વર્ષ કરતા વધુ હોવી જોઈએ.
- અરજી કરનાર મહિલા નું પરિવાર BPL હોવું જોઈએ.
- પરિવાર પાસે અન્ય કોઈ ગેસ કનેક્શન નાં હોવું જોઈએ.
- લાભાર્થી મહિલા પાસે બેંક નું ખાતું હોવું જરૂરી છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માટેના આધાર પૂરાવા
- લાભાર્થી પાસે જો બીપીએલ કાર્ડ હોય તો તેનો આધાર પુરાવો
- BPL રેશનીંગ કાર્ડ
- આધારકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ (કોઈપણ એક આઈડી કાર્ડ)
- જાતિ નું પ્રમાણપત્ર
- રહેઠાણ અંગે નો આધાર પુરાવા
- 2 પાસપોર્ટ સાઈઝ ના ફોટો
- બેંક ખાતા ની પાસબુક ની નકલ
- અન્ય જરૂરી દસ્તાવેજો
PM ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માટે અરજી પ્રક્રિયા
જો આપ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના માટે ઓનલાઈન અરજી કરવા માગતા હોય તો આપને તેની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાં તમને તેમનું ઓનલાઈન અરજી પત્રક બતાવવામાં આવશે. ચેરજી પત્રકને ઓનલાઈન ભરીને સબમીટ કરવાનું હોય છે.
આ અરજી પત્રકમાં પૂછ્યા પ્રમાણેની તમામ માહિતી સાચી અને સચોટ ભરવાની હોય છે.
જેમ કે નામ,સરનામું,ઉંમર,જાતિ વગેરે જેવી તમામ વિગતો ઓનલાઈન ભરી ને અરજી પત્રક ને ઓનલાઈન સબમિટ કરવાનું હોઈ છે.
જેની પ્રિન્ટ કાઢી ને નજીક નાં તમારી નજીકની ગેસ એજન્સીમાં જઈને તમામ આધાર પુરાવાઓ સાથે આ અરજી પત્રક જ્યાં જમા કરાવવાનું હોય છે.
જ્યાં આ એજન્સી દ્વારા તમારું અજપત્રક ને ચકાસણી કરીને વધીને 10 દિવસની અંદર આપના ઘરે ગેસ કનેક્શન પહોંચાડવામાં આવે છે.
આ તમામ પ્રક્રિયાઓ દ્વારા આપ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના માટે ઓનલાઈન અરજી કરીને ઘરે બેઠા ગેસ કનેક્શન મંગાવી શકો છો.
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર સાઈટ | Click Here |
ટોલ ફ્રી નંબર | 1800-266-6696 |
HomePage | Click Here |
Pingback: માઈ રમાબાઈ સાતફેરા સમુહલગ્ન યોજના : સમુહ લગ્ન મા ભાગ લેનાર યુગલોને 12,000/- રૂપિયા - Latest yojana
Pingback: આજનું રાશિફળઃ મેષ રાશિના લોકોએ આજે આ લોકોથી દૂર રહેવું જોઈએ, જાણો તમારું ભવિષ્ય - Latest yojana