ભારતના વડાપ્રધાનોની યાદી : 1947 થી આજ સુધી ભારતના વડાપ્રધાનોની યાદી તેમજ તેમના વિષે ટૂંકમાં પરિચય

GPSSB Junior Clerk Call Letter 2023

ભારતના અત્યાર સુધીના વડાપ્રધાન ના નામ । ભારતના પ્રધાનમંત્રી કોણ છે ।નરેન્દ્ર મોદી કેટલામાં વડાપ્રધાન છે । વડાપ્રધાન નું નામ । ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા । ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ છે । ભારતના બીજા વડાપ્રધાન કોણ છે ભારતના હાલના નાયબ વડાપ્રધાન કોણ છે

ભારતના વડા પ્રધાન ભારત સરકારના વડા છે. ભારતની સંસદીય પ્રણાલીમાં સંવિધાન ભારતના રાષ્ટ્રપતિને દેશના પ્રમુખ તરીકે વર્ણવે છે. પરંતુ, ખરી સત્તા વડા પ્રધાન અને તેમના મંત્રીમંડળના હાથમાં હોય છે. વડા પ્રધાનની નિમણૂંંક અને સોગંદનામું રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સામાન્ય રીતે વડા પ્રધાન લોક સભામાં બહુમતી ધરાવતા પક્ષનો નેતા હોય છે.

આ પણ વાંચો : મઝગાંવ ડોકયાર્ડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 8 પાસ ઉપર ભરતીની જાહેરાત

ભારતના વડાપ્રધાનોની યાદી

ક્રમવર્ષનામ
11947-1964જવાહરલાલ નેહરુ
21964-1964ગુલઝારીલાલ નંદા (કાર્યકારી)
31964-1966લાલ બહાદુર શાસ્ત્રી
41966-1966ગુલઝારીલાલ નંદા (કાર્યકારી)
51966-1977ઈન્દિરા ગાંધી
61977-1979મોરારજી દેસાઈ
71979-1980ચૌધરી ચારણ સિંહ
81980-1984ઈન્દિરા ગાંધી
91984-1989રાજીવ ગાંધી
101989-1990વિશ્વનાથ પ્રતાપ સિંઘ
111990-1991ચંદ્ર શેખર
121991-1996પામુલપાર્થી વેકંટ નરસિંહા રાવ
131996-1996અટલ બિહારી વાજપેયી
141996-1997એચ. ડી. દેવે ગોવડા
151997-1998ઇન્દ્ર કુમાર ગુજરાલ
161998-1999અટલ બિહારી વાજપેયી
171999-2004અટલ બિહારી વાજપેયી
182004-2014મનમોહન સિંહ
1926 મે 2014 થી.નરેન્દ્ર મોદી

ભારતના વડાપ્રધાનો વિષે ટૂંકમાં પરિચય

આજે અહીં આપણે જાણીશું ભારત આઝાદ થયું એટલે કે 1947 થી આજ સુધી ભારતના તમામ વડાપ્રધાનો વિષેની યાદી તેમજ તેમના વિશેનો ટૂંકમાં પરિચય, જાણવા માટે બન્યા રહો અમારી સાથે….

આ પણ વાંચો : [IRMA] ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થા આણંદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

જવાહરલાલ નેહરુ

ભારતના વડાપ્રધાનોની યાદી
  • ભારતના પ્રથમ વડાપ્રધાન અને હોદ્દાની રૂએ આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ હતા.
  • સૌથી વધુ સમય સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા.
  • હોદ્દા પર અવસાન થયું હોય તેવા પ્રથમ વડાપ્રધાન હતા.
  • તેમના સમયગાળામાં ભારતમાં પંચાયતી રાજની શરૂઆત
  • વિશ્વના દેશો સમક્ષ સૌપ્રથમ બિનજોડાણવાદી નીતિ રજુ કરી હતી.
  • તેમના જન્મદિવસ ૧૪ નવેમ્બરને ‘બાલ દિન’ તરીકે મનાવવામાં આવે છે.
  • યમુના નદીના કિનારે ‘શાંતિવન’ તેમનું સમાધિસ્થળ છે.
  • તેમને ‘આરામ હરામ હૈ’ નું સૂત્ર આપ્યું હતું.

ગુલઝારીલાલ નંદા (કાર્યકારી)

ભારતના વડાપ્રધાનોની યાદી
  • જવાહરલાલ નેહરુનું અવસાન થતા સૌપ્રથમ કાર્યકારી વડાપ્રધાન બન્યા.
  • ઈ.સ.૧૯૬૬માં લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થતા બીજી વખત કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. ‘ભારત રત્ર’ મેળવનાર સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન હતા.

ગુલઝારીલાલ નંદા

ભારતના વડાપ્રધાનોની યાદી
  • મરણોપરાંત ‘ભારત રત્ન’ મેળવનાર પ્રથમ વડાપ્રધાન હતા.
  • લાલબહાદુર શાસ્ત્રીના સમયગાળા દરમિયાન ભારત અને એશિયા વચ્ચે ‘તાસ્કંદ કરાર’ થયા હતા.
  • લાલબહાદુર શાસ્ત્રી ક્રિકેટ સ્ટેડિયમ હૈદરાબાદમાં આવેલું છે.
  • લાલબહાદુર શાસ્ત્રી એરપોર્ટ વારાણસીમાં આવેલું છે.
  • તેમના કાર્યકાળ દરમિયાન એન.ડી.ડી.બી.ની સ્થાપના થઇ હતી.
  • તેમણે ‘જય જવાન, જય કિસાન’નો નારો આપ્યો હતો.
  • લાલબહાદુર શાસ્ત્રી આઈ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટર મસૂરી (ઉતરાખંડ)માં આવેલું છે.
  • તેમનું સમાધિ સ્થળ ‘વિજયઘાટ’ તરીકે ઓળખાય છે જે દિલ્લીમાં આવેલું છે.

ઇન્દિરા ગાંધી

ભારતના વડાપ્રધાનોની યાદી
  • ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા.
  • તેમણે દેશમાં સૌપ્રથમ વખત કટોકટી લાદી હતી.
  • સૌપ્રથમ ‘ભારત રત્ન’ મેળવનાર સ્ત્રી વડાપ્રધાન હતા.
  • ભારતમાં પ્રથમ વખત હત્યા થઇ હોય તેવા વડાપ્રધાન હતા.
  • તેમણે ‘ભારત રત્ન’ પુરસ્કાર પર પ્રતિબંધ લગાવ્યો હતો.
  • તેમના શાસનકાળમાં બંધારણમાં સૌથી વધારે સુધારા કરવામાં આવ્યા હતા.
  • ઈ.સ.૧૯૭૧માં બાંગ્લાદેશની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
  • ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નવી દિલ્લીમાં આવેલું છે.
  • ઈ.સ.૧૯૬૯માં ૧૪ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘શિમલા કરાર’ થયા હતા.
  • ઈ.સ.૧૯૮૪માં પંજાબના સુવર્ણમંદિરમાં ઘુસેલા આતંકવાદીઓનો ખાત્મો કરવા ઓપરેશન બ્લ્યુ સ્ટાર’ચલાવ્યું હતું.
  • દિલ્લી ખાતે આવેલ ‘શક્તિ સ્થળ’ તેનું સમાધિ સ્થળ છે.

મોરારજી દેસાઈ

ભારતના વડાપ્રધાનોની યાદી
  • પોતાની હોદ્દાની મુદત પૂરી થતા પહેલા રાજીનામું આપ્યું હતું.
  • દેશના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન હતા.
  • તેમનો જન્મ વલસાડ જિલ્લાના માડેલી ગામમાં થયો હતો.
  • મોરારજી દેસાઈના શાસનકાળમાં લોકસભાની મુદત ૬ વર્ષમાંથી ઘટાડીને ૫ વર્ષ કરવામાં આવી હતી.’અભય બનો, નીડર બનો’નું સૂત્ર આપ્યું હતું.
  • ‘નિશાન એ પાકિસ્તાન’ એવોર્ડ મળ્યો હતો.
  • ‘ભારત રત્ન’ પુરસ્કાર મળ્યો હતો.
  • અમદાવાદ ખાતે ‘અભયઘાટ’ તેમનું સમાધિ સ્થળ છે.

ચૌધરી ચરણસિંહ

ભારતના વડાપ્રધાનોની યાદી
  • ભારતમાં લઘુમતી સરકારના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.
  • ચૌધરી ચરણસિંહે સંસદનો એકપણ વખત સામનો કર્યો ન હતો.
  • ચૌધરી ચરણસિંહે લોકસભાનું સત્ર પૂરું થાય તે પહેલા રાજીનામું આપ્યું હતું.
  • ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લખનૌમાં આવેલું છે.
  • તેમના જન્મ દિવસ ૨૩ ડીસેમ્બરને ‘રાષ્ટ્રીય ખેડૂત દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.

રાજીવ ગાંધી

ભારતના વડાપ્રધાનોની યાદી
  • તેઓ સૌથી નાની ઉમરે વડાપ્રધાન બન્યા હતા.
  • તેમના સમયમાં મતદારની ઉંમર ૨૧ વર્ષમાંથી ઘટાડીને ૧૮ વર્ષની કરવામાં આવી હતી. પક્ષપલટા વિરોધી ધારો – ૧૯૮૫ તેમના સમયમાં ઘડાયો હતો.
  • ઈ.સ.૧૯૯૧માં ‘ભારત રત’ એનાયત થયો હતો.
  • ‘વીરભૂમિ’ તેમનું સમાધિસ્થળ છે.

વિશ્વનાથ પ્રતાપસિંહ

  • ભારતીય સંસદમાં સૌપ્રથમ વિશ્વાસનો મત ન મેળવી શકનાર વડાપ્રધાન હતા.

ચંદ્રશેખર

  • સમાજવાદી જનતા પાર્ટીના પ્રથમ વડાપ્રધાન હતા.

પી.વી.નરસિંહરાવ

  • ભારતીય અર્થતંત્ર સુધારાના પિતા તરીકે ઓળખાય છે.
  • ઈ.સ.૧૯૯૨માં બાબરી મસ્જિદ ધ્વંસ સમયે વડાપ્રધાન હતા.
  • તેમના સમયગાળામાં ઈ.સ.૧૯૯૨માં ઉદારીકર૪, ખાનગીકરણ અને વૈશ્વિકાની નીતિ લાગુ કરાઈ.

અટલ બિહારી વાજપેયી

  • તેઓ ‘કવિ હૃદયી’ નેતા હતા.
  • સૌથી ઓછા સમય ૧૩ દિવસ સુધી વડાપ્રધાનપદે રહી ચૂકયા હતા.
  • ફક્ત એક જ મતથી વિશ્વાસનો મત હારી ગયા હતા.
  • તેમણે જનસંઘનું નામ બદલીને ‘ભાજપ’ કરી નાખ્યું હતું.
  • ૧૯૯૮માં રાજસ્થાનના પોખરણમાં અણુધડાકા કરાયા હતા.
  • ઈ.સ.૧૯૯૯માં પાકિસ્તાન સામેના કારગિલ યુદ્ધમાં ‘ઓપરેશન વિજય’ ચલાવી જીત મેળવી.
  • ૨૦૦૧માં સંસદ પર હુમલો અને ૨૦૦૨માં ગોધરાકાંડ વખતે તેઓ વડાપ્રધાન પદે હતા.
  • ૨૦૦૧માં ‘સર્વશિક્ષા અભિયાન’ની શરૂઆત કરી હતી.
  • સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હિન્દીમાં ભાષણ કરનાર પ્રથમ વડાપ્રધાન હતા.

એચ. ડી. દેવે ગોવડા

  • કર્ણાટકના મુખ્યમંત્રી પદે રહી ચુક્યા હતા. ‘ધરતીપુત્ર’ તરીકે ઓળખાય છે.

ઇન્દ્ર કુમાર ગુજરાલ

  • ૧૯૮૦માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી જનસંઘમાં જોડાયા હતા.
  • પાડોશી દેશો સાથે સારો વ્યવહાર કરવા ‘ડોક્ટાઇન થિયરી’ આપી હતી.

ડો.મનમોહનસિંહ

  • ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહી ચુક્યા છે.
  • આયોજન પંચના ઉપાધ્યક્ષ રહી ગયા છે .
  • પી.વી.નરસિંહરાવની સરકારમાં નાણામંત્રી રહી ચૂકયા છે.
  • રાજ્યસભામાં આસામથી ચૂંટાય છે. ઈ.સ.૨૦૦૫માં સેલ્સ ટેક્સના સ્થાને વેલ્યુ એડેટ ટેક્સ VAT ની શરૂઆત કરી.
  • તેમના સમયગાળામાં જ આધાર કાર્ડ યોજના દાખલ થઇ હતી. વિશ્વમાં સૌથી મોટી યોજના ‘ખાદ્ય સુરક્ષા ધારો’ પસાર કર્યો હતો.
  • કોલસા કૌભાંડ, ટુ-જી, કોમનવેલ્થ તેમના સમયગાળામાં થયું હતું.

નરેન્દ્ર દામોદરદાસ મોદી

  • તેમનો જન્મ વડનગરમાં થયો હતો. ત્રીજા ગુજરાતી વડાપ્રધાન બન્યા હતા. તેમના શાસનકાળમાં બ્રિકસ બેક’ની સ્થાપનાની જાહેરાત થઇ હતી.
  • ૧ લાખ કરોડ રૂ.ના કાર્યક્રમ’ડીજીટલ ઇન્ડિયા’ને મંજૂરી આપી હતી.
  • ૩૦ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ ‘જન ધન યોજના’નો પ્રારંભ કર્યો.