વિધવા સહાય યોજના 2023 : સરકાર આપશે દર મહિને વિધવા મહિલાઓને 1250 રૂપિયાની સહાય

વિધવા સહાય યોજના 2023 : વિધવા સહાય યોજના માટે ફોર્મ ભરો| Vidhva Sahay Yojana માં લાભાર્થીને માસિક રૂ. 1250 લેખે માસિક સહાય બચત ખાતા મારફતે લાભાર્થી ખાતામાં જમા કરાવવામાં આવે છે.Vidhva Sahay Yojana હેઠળ ફોર્મ ભરો. વિધવા સહાય યોજના હેઠળનો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

વિધવા સહાય યોજના 2023

Vidhva Sahay Yojana પ્રોત્સાહન આપવામાં આવશે જેથી તેઓ નજીકના ભવિષ્યમાં સ્વસ્થ જીવનશૈલી મેળવી શકે , અને તે આત્મનિર્ભર બનીશકે અને તેઓ તેમના બાળકનું શિક્ષણ પણ આગળ વધારી શકે.વિધવા સહાય યોજના બહેનોને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ Vidhva Sahay Yojana યોજનાનો લાભ મળશે.

વિધવા સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામવિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના)
લાભ કોને મળશેનિરાધાર વિધવા બહેનોને
યોજનાના ફાયદા1250 રૂપિયા દર મહિને સહાય કરવામાં આવશે
યોજનાનો ઉદ્દેશવિધવા બહેનોને સારું જીવન જીવવાની તક આપવાનો
ફોર્મ ક્યાંથી મળશેગ્રામપંચાયત/તલાટી/મામલતદાર/જન સેવા કેન્દ્ર કચેરી ખાતેથી તથા online
ફોર્મ ક્યાં જમા કરાવવુંગ્રામપંચાયત/તલાટી/મામલતદાર કચેરી ખાતે તથા online

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા બહેનોને આ યોજના નો લાભ મળે છે.
  • આ યોજના નો લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1,20,000 (એક લાખ, વીસ હજાર) અને શહેરી વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1,50,000 (એક લાખ, પચાસ હજાર) સરકાર દ્વારા રાખવામાં આવી છે.
  • આ યોજનાનો લાભ મેળવનાર 18 થી 40 વર્ષની તમામ બહેનોને ફરજીયાત 2 વર્ષમાં સરકાર માન્ય કોઈપણ ટ્રેડની (વ્યવસાયલક્ષી) તાલીમ લેવાની રહેશે.

વિધવા સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • વિધવા સહાય યોજના બહેનોને દર મહિને તેમના પોસ્ટ અથવા બેંક (WFA) ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) થી રૂપિયા 1250 જમા કરવામાં આવશે.
  • આ પેન્શનની રકમ દરેક મહિનાના પહેલા અઠવાડિયામાં લાભાર્થી બહેનોના ખાતામાં જમા કરવામાં આવશે.
  • વિધવા સહાય યોજના મેળવતા લાભાર્થી બહેનનું જો અકસ્માતે મૃત્યુ થાય તો સરકારની ગુજરાત સામૂહિક જૂથ(જનતા) અકસ્માત વિમા યોજના અંતર્ગત તેમના વારસદાર ને રૂપિયા 1,00,000 (એક લાખ) ની આર્થિક સહાય મળવાપાત્ર છે.

આ યોજનાનો લાભ લેવા માટેના દસ્તાવેજો

  • લાભ લેનાર અરજદારની અરજી (પરિશિષ્ટ-૧/૮૬ મુજબ )
  • લાભ લેનાર અરજદારનું સોગંદ નામુ (પરિશિષ્ટ ૨/૮૬ મુજબ )
  • આવકનો દાખલો (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ )
  • વિધવા છે તે અંગેનું પ્રમાણ પત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ )
  • અરજદારના પતિના મૃત્યુ નો દાખલો
  • અરજદાર મહિલાના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
  • મૈયતના વારસદારોનું પેઢીનામું.
  • અરજદારના રેશનકાર્ડની નકલ.
  • બે પાસપોર્ટ સાઇઝના ફોટા
  • આધાર કાર્ડની નકલ
  • બેંક અથવા પોસ્ટ પાસબુક
  • અરજદારના બાળકોની ઉમરના પુરાવા, જન્મના દાખલા.
  • દસ વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતા હોય તે અંગેનું પ્રમાણપત્ર.
  • પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં મામલતદાર કચેરી/તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
  • 18 થી 40 વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.
  • અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ. આ બેમાંથી કોઈપણ ન હોય તો સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલ/સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા નગરપાલિકા સંચાલિત દવાખાના સુપ્રિટેન્ડન્ટ/તબિબિ અધિકારી નો ઉમર અંગેનો દાખલો.

અરજી કઈ રીતે કરવી?

આ ફોર્મ ઓનલાઇન તથા ઓફલાઇન બંને રીતે ભરી શકો છો. ગુજરાત સરકાર દ્વારા આ માટે ઓનલાઈન અરજીઓ બાબતેની કામગીરી ગ્રામપંચાયત/તલાટી/મામલતદાર/જન સેવા કેન્દ્ર કચેરી ખાતે Digital Gujarat Portal પરથી કરી શકાય છે.

  • સૌપ્રથમ ગ્રામપંચાયત /તલાટી /મામલતદાર /જન સેવા કેન્દ્ર કચેરી ખાતેથી Vidhva Sahay Yojana ફોર્મ મેળવી દરેક વિગત બરાબર ભરવી અને સંબંધિત અધિકારી ના સહી-સિક્કા કરાવી લેવા.
  • ગ્રામપંચાયત કક્ષાએ VCE (Village Computer Entrepreneur) પાસેથી Digital Gujarat Portal પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે Digital Gujarat Portal પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો