તબેલા લોન સહાય યોજના 2023 : યોજના અંતર્ગત તબેલો બનાવવા માટે મળશે રૂપિયા 4 લાખની સહાય

તબેલા લોન સહાય યોજના 2023 : તબેલા લોન યોજના ગુજરાતના એસ.ટી જ્ઞાતિના નાગરિકોને લાભ આપવામાં આવે છે. આ યોજનાનાં Adijati Gujarat દ્વારા આપવામાં આવે છે. આ આર્ટિકલના માધ્યમથી ગુજરાતનાં જે પશુપાલક અને ખેડુતોને પોતાના ગાય-ભેંસનો વ્યવસાય કરે છે. તેમને આ લોન મળશે. જેમને તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો-ભેંસ છે પણ લોકો પર સંભાળ રાખવા માટે કોઈ સારી જગ્યામાં તબેલો બનાવી શકે તે જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આદિજાતિ વિભાગ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે.

તબેલા લોન સહાય યોજના 2023

આ લોન મેળવવા માટે Adijati Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું. તબેલા લોન યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે. ગુજરાતમાં જે લોકો પાસે પશુપાલન કરે છે જે લોકો માટે ગુજરાત સરકાર દ્વારા તબેલા લોન યોજના પણ આપવામાં આવે છે. હાલોલ પણ ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ ગુજરાતની અધિકૃત વેબસાઈટ પરથી ઘરે બેઠા અરજી કરી શકીએ છીએ.

આમ, ગુજરાત સરકાર આપવામાં આવતી સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો પોતાના ગાય ભેંસ માટે આ યોજનાથી તબેલા બનાવવા માટે લોન લઈ શકે છે.

તબેલા લોન સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામતબેલા લોન યોજના
આર્ટિકલનું નામતબેલા લોન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી.
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશગુજરાતના આદિજાતિના નાગરિકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે આ ધિરાણ સહાય આપવામાં આવે છે. આદિજાતિના લાભાર્થીઓને સ્વરોજગારી યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકાય અને પગભર બનાવી શકાય છે.
ક્યા લાભાર્થીઓને આ લોન મળશે?ગુજરાતના અનુસુચિત જનજાતિ(ST)ના નાગરિકો
યોજના હેઠળ લોનની રકમ કેટલી મળશે?આ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજદર કેટલો લાગશે?વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે.
સત્તાવાર વેબસાઇટhttps://adijatinigam.gujarat.gov.in/

તબેલા લોન સહાય યોજનાનો ઉદેશ્ય

ગુજરાતમાં આદિજાતિ વિકાસ દ્વારા શરૂ કરવામાં આવેલી તબેલા આ યોજના (Tabela Sahay Loan Yojana in Gujarati)નો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યમાં આવેલા હતા અનુસૂચિત જનજાતિના લોકો તેમજ બહારની સંસ્થાઓ બેન્કો પાસેથી ઊંચા વ્યાજે લોન લેવી પડે તે માટે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ દ્વારા આ સહાય યોજના આપવામાં આવે છે.

આ સહાય યોજના હેઠળ ગુજરાતના લોકો ઓછા વ્યાજ દરે લોન લઈ ને પશુઓને રહેવા માટે તબેલા બનાવી શકે છે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

જે પણ લોકો ગુજરાતમાં વસતા લોકો જે અનુસૂચિત જાતિ તેમજ જાતિમાં આવે છે તે લોકો આ તબેલા સહાય યોજના (Tabela Sahay Yojana) નો લાભ લેવા માંગે છે તેમના માટે ગુજરાત સરકાર દ્વારા અમુક પાત્રતા તેમજ લાયકાત નક્કી કરવામાં આવેલી છે. જો તમે તે લાયકાત માં આવતા હોવ તો તમે તબેલા યોજના માટે અરજી કરી શકો છો.

  • અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
  • અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • જેમની વાર્ષિક આવક રૂ. 1,20 , 000/- ગ્રામીણ વિસ્તાર માટે અને રૂ. 1,50,000/- શહેરી વિસ્તાર માટે આ યોજનાનો લાભ મળશે.
  • લાભાર્થી ઇસમ ગુજરાતના અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.)ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૨૦,૦૦૦/-તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦/-થી વધુ હોવી ન જોઇએ. અરજદારે રજૂ કરેલ પ્રમાણપત્ર સ્વ-પ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે.
  • લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.(આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે.)
  • લાભાર્થીએ જે હેતુ માટે (ધંધો/રોજગાર) ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • લાભાર્થીએ જે હેતુ માટે ધીરાણની માંગણી કરેલ હશે તે હેતુ માટે જ લોનનો ઉપયોગ કરવાની રહેશે. લોન મંજુર થયેથી લોનની રકમના NSTFDC યોજના હેઠળ ૫% / સ્વરોજગારી યોજના હેઠળ ૧૦% લાભાર્થી ફાળો ભરવાનો રહેશે. તેમજ વાહન માટેના અરજદારોને કોર્પોરેશન દ્વારા નિયત કરેલ એજન્સી દ્વારા વાહન પુરા પાડવામાં આવશે, જો અરજદાર પોતાની પંસદગીનું વાહન મેળવવા ઇચ્છુક હોય તો લોન ઉપરાંતની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે. અરજદાર જે વાહન મેળવવા માંગતા હોય તે માટે નિયત કરેલ વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ રજૂ કરવાનું રહેશે.
  • લાભાર્થીએ જે હેતુ માટે કોર્પોરેશનમાંથી ધીરાણ મેળવેલ હશે તે જ હેતુ માટે બેંક કે અન્ય નાણાંકીય પાસેથી ધીરાણ મેળવી શકશે નહીં. (તમામ યોજનાઓ માટે બેન્કનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે.)
  • લાભાર્થી અગર તેઓના કુટુંબના કોઇ સભ્યોએ આ અથવા કોર્પોરેશનની કોઇ પણ યોજના હેઠ્ળ કોર્પોરેશનમાંથી લોન લીધી હોય અને તે અન્વયે કોઇ પણ રકમ બાકી હોય તેવા ઇસમો લોન લેવાને પાત્ર ગણાશે નહી.
  • અરજદારે લોન માટેનું અરજી ફોર્મ કોર્પોરેશનની વેબસાઇડ પરથી ઓનલાઇન ભરવાનું રહેશે.તથા અરજી મંજુર થયેથી જરૂરી દસ્તાવેજો જે-તે પ્રાયોજના કચેરીએ જમા કરાવવાના રહેશે.
  • ઉપરોક્ત વિગતે આવનાર અરજીની ચકાસણી કરી સંપુર્ણ વિગતો સહ પ્રાયોજના વહીટદારશ્રી/જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે મોકલવાની રહેશે.જરૂર જણાયે જે તે હેતુ માટે ધંધાનું સ્થળ,યોજનાની વિગત, મળવાપાત્ર સહાયની વિગત,લાભર્થીનો અનુભવ,વીજળી જોડાણ નો પુરાવો વગેરે પેટા માહિતી પણ અરજી સામે સામેલ કરવાની રહેશે.
  • કોર્પોરેશનની જાહેરાતમાં જણાવેલ રીક્ષા, ટ્રેકટર, ઇકો ગાડી, વાન જેવા વાહનની લોન લેવા માંગતા અરજદારોએ પાકુ લાયસન્સ ફરજિયાત ધરાવતા હોય તેવા અરજદારની લોન મંજૂર કરવામાં આવશે. કોઇપણ સંજોગોમાં કાચુ લાયસન્સ ચલાવી લેવામાં આવશે નહી.
  • વધુમાં અધૂરી વિગતોવાળી દરખાસ્ત કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી. તે માટે ફરીથી પુર્તતા કરવામાં આવશે નહી.
  • અરજદારે જે તે એક જ હેતુ માટે લોન અરજી કરવાની રહેશે
  • અરજદારે માંગણી કરેલ લોન ફોર્મ વંચાણે લીધા બાદ જરૂરિયાત મુજબની વિગતો માં દર્શાવેલ ક્રમ-૧ થી ૮ તેમજ ક્રમ નં-૧૦ ની સંપૂર્ણ વિગતો અરજદારે ભરવાની રહેશે.
  • લાભાર્થીએ કોર્પોરેશનને નક્કી કરેલ અને નક્કી કરવામાં આવનાર તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
  • અરજદારે રજૂ કરેલ જામીનની વિગતો એક વાર રજૂ કર્યા પછી જામીન બદલી શકાશે નહી.

તબેલા લોન યોજનામાં મળવાપાત્ર લાભ

  • લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે.
  • લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
  • આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.

યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

ગુજરાતમાં આદિ જાતિ નિગમ દ્વારા ગુજરાતમાં વસતા બેરોજગાર લોકો માટે ગુજરાત સરકાર દ્વારા તબેલા લોન યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ ગુજરાતમાં વસતા લોકોનો વ્યવસાય ચાલુ કરી શકે છે તે માટે ગુજરાત સરકાર દ્વારા ધિરાણ આપવામાં આવે છે.આ ધિરાણ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને લોન આપવામાં જરૂરી ડોક્યુમેન્ટની માહિતી નીચે મુજબ આપેલી છે.

  • અનુસૂચિતજનજાતિ પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ તેમજ પાસબુકની નકલ
  • આધાર કાર્ડની ઝેરોક્ષ
  • લાભાર્થી વ્યક્તિએ રજૂ કરેલા મિલકતના પુરાવો મકાનના દસ્તાવેજ
  • જો અરજી કરનાર વ્યક્તિએ જામીનદાર એકનો રજૂ કરેલા મિલકત અંગે નો સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
  • જો અરજી કરનાર વ્યક્તિ બેનો રજુ કરેલ મિલકત અંગે સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
  • જમીનદારો એ રૂપિયા ના સ્ટેમ્પ પર એફિડેવિટ કરેલા સોગંદનામું રજૂ કરવું જરૂરિયાત છે.

અરજી કઈ રીતે કરવી?

  • Google Search પર જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Adijati Vikas Vibhag Gujarat ની Official Website ખુલશે.
  • હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું TAB ખૂલશે.
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Personal ID બનાવવાનું રહેશે.
  • તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
  • તમે પોતાનું Page Login કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈનબતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા બનાવવા માટે લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના Document Upload કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટે લઈને સાચવી રાખવાની રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો