પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2023 : પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એ અકસ્માત વીમા યોજના અકસ્માત મૃત્યુ અને અકસ્માતના કારણે મૃત્યુ અથવા અપંગતા માટે અપંગતા કવર ઓફર કરે છે. આ લેખ માં તમને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણવા મળશે જેવી કે Pradhan Mantri 20rs Insurance યોજના શું છે, ફાયદા, વાર્ષિક પ્રીમિયમ, પાત્રતા,જરૂરી ડોક્યુમેંટ્સ અને અરજી કેવી રીતે કરવી. તો આર્ટીકલ પૂરો વાંચજો જેથી બધી વિગતો સરખી રીતે સમજી શકો.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2023
Pradhan Mantri 20rs Insurance Yojana – પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર રૂ.20 છે. આ વીમા યોજના હેઠળ 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર અકસ્માત વીમો કરવામાં આવશે. આ યોજના 18 થી 70 વર્ષના લોકો માટે છે. આ યોજના હેઠળ, જો વીમાધારક વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામે છે, અથવા અકસ્માતમાં બંને આંખો અથવા બંને હાથ અથવા બંને પગ ગુમાવે છે, તો તેને Pradhan Mantri Accident Insurance Scheme હેઠળ 2 લાખ રૂપિયા અને હાથ અથવા પગના ઉપયોગની ખોટ જણાય તો 1 લાખ રૂપિયા મળવાપાત્ર છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2023 – હાઈલાઈટ્સ
યોજનાનું નામ | પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા |
લાભાર્થી | 18 થી 70 વર્ષના લોકો |
મળવાપાત્ર સહાય | જીવન વીમા અને અકસ્માત વીમા સહાય 2 લાખ રૂપિયા સુધી |
સતાવાર વેબસાઇટ | https://www.jansuraksha.gov.in |
હેલ્પલાઈન નંબર | 1800-180-1111 / 1800-110-001 |
PMSBY યોજનાનો ઉદેશ્ય
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે 18 વર્ષ (પૂર્ણ) અને 70 વર્ષ (જન્મદિવસ નજીકની ઉંમર) વચ્ચેની વયના વ્યક્તિગત બેંક ખાતાધારકો કે જેઓ ઉપરોક્ત નિયમ મુજબ બેંક ખાતા માંથી દર વર્ષે પ્રીમિયમ ની 20 રુપિયા રકમ ચૂકવવા ની સંમતિ આપે છે, તે લોકો આ યોજનાનો લાભ લઈ શકે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની માહિતી
- કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સુરક્ષા યોજનાઓમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો પણ સમાવેશ થાય છે.
- પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં માત્ર રૂ.12 ના વાર્ષિક પ્રીમિયમ પર અકસ્માત સમયે રૂ. 2 લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે.
- આ રકમ ફક્ત તમારા લિંક કરેલ બેંક ખાતામાંથી જ કાપવામાં આવે છે.
- આ અંતર્ગત રજીસ્ટ્રેશનનો સમયગાળો 1લી જૂનથી 31મી મે સુધીનો છે. એટલે કે, તમે મે મહિનામાં પ્લાન રિન્યૂ કરી શકો છો (હાલમાં પ્લાન લઈ શકાય છે), પ્લાન એક વર્ષ માટે માન્ય છે અને દર વર્ષે રિન્યૂ કરાવવો પડે છે.
- 18 થી 70 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ જેની પાસે બેંક ખાતું હોવું જરૂરી છે તે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનામાં ભાગ લઈ શકે છે.
PMSBY યોજના માટે કોણ લાભ લઈ શકે
- પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે 18 વર્ષ (પૂર્ણ) અને 70 વર્ષ (જન્મદિવસ નજીકની ઉંમર) વચ્ચેની વયના વ્યક્તિગત બેંક ખાતાધારકો કે જેઓ ઉપરોક્ત નિયમ મુજબ બેંક ખાતા માંથી દર વર્ષે પ્રીમિયમ ની 20 રુપિયા રકમ ચૂકવવા ની સંમતિ આપે છે, તે લોકો આ યોજનાનો લાભ લઈ શકે.
આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ
- PMSBY યોજનાનો લાભ અકસ્માતમાં મૃત્યુ અને વિકલાંગતાના કિસ્સામાં નીચે મુજબ લાભ મળે છે.
ક્રમ | લાભનો પ્રકાર | વીમાની રાશિ |
---|---|---|
1 | અકસ્માતના કારણે થતાં મૃત્યુ | રૂ. 2 લાખ |
2 | અકસ્માતમાં બંને આંખોની દ્રષ્ટિ ગુમાવવી અથવા બંને આંખોની રોશની પાછી ન આવી શકે તેવું નુકશાન અથવા અકસ્માતમાં બંને પગ અથવા બંને હાથ ગુમાવવા | રૂ. 2 લાખ |
3 | અકસ્માતમાં એક આંખની દ્રષ્ટિ ગુમાવવી અથવા એક આંખની રોશની પાછી ન આવી શકે તેવું નુકશાન અથવા અકસ્માતમાં એક પગ અથવા એક હાથ ગુમાવવા | રૂ. 1 લાખ |
PMSBY યોજનાંનો લાભ લેવા માટેના દસ્તાવેજો
Documents required PM Suraksha Bima Yojana નક્કી કરેલા છે. જેની યાદી નીચે મુજબ છે.
- અરજીપત્રક (Application Form)
- આધારકાર્ડ (Aadhar Card)
- રેશનકાર્ડ (Ration Card)
- ઓળખપત્ર (Identity Certificate)
- આવકનો દાખલો (Income Certificate)
- પાસપોર્ટ સાઈઝનો ફોટો (Passport Size Photo)
- મોબાઈન નંબર (Mobile Number)
અરજી કઈ રીતે કરવી?
- કોઈ વ્યક્તિ પોતાની બેંકની નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને PMSBY ખાતું ઓનલાઈન પણ ખોલી શકે છે.
- અરજદાર તેના ઇન્ટરનેટ બેંકિંગ એકાઉન્ટમાં લૉગિન કરીને ડેશબોર્ડ પર PMSBY શોધી ગ્રાહકે કેટલીક મૂળભૂત અને નોમિની વિગતો ભરવાની હોય છે.
- ગ્રાહકે ખાતામાંથી પ્રીમિયમના ઓટો ડેબિટની સંમતિ આપવી પડશે અને ફોર્મ સબમિટ કરવું પડશે.
- PMSBY ઑફલાઇન નોંધણી કરાવવા માટે, જ્યાં વ્યક્તિ પાસે બચત ખાતું છે બેંક છે ત્યાં જઈ શકે છે અથવા ઉમેદવાર ફોર્મ ડાઉનલોડ કરવા સત્તાવાર સાઇટ https://jansuraksha.gov.in/Forms-PMSBY.aspx પર જઈ શકે છે.
- પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે અરજી ફોર્મ ડાઉનલોડ કર્યા પછી ઉમેદવાર તમામ વિગતો ભરી શકે છે અને જરૂરી દસ્તાવેજો સાથે જોડાયેલ બેંકમાં સબમિટ કરી શકે છે.
- એકવાર તે સફળતાપૂર્વક અરજદાર ને વીમાની એક્નોલેજમેન્ટ સ્લિપ આપવા
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |