વૃદ્ધ પેન્શન યોજના 2024 : યોજના અંતર્ગત સરકાર આપશે નિરાધાર વૃદ્ધો ને દર મહિને 1250 ની સહાય

વૃદ્ધ પેન્શન યોજના 2024 : ગુજરાત રાજ્ય માં નિરાધાર વૃદ્ધ ને 60 વર્ષ થઈ ગયા છે તો સરકાર દ્વારા તેને માસિક રૂપિયા 1000 સુધી સહાય મળવાપાત્ર છે. જે યોજના નું નામ વૃદ્ધ પેન્શન યોજના છે. ગુજરાતમાં વૃદ્ધોને આર્થિક રીતે મદદ મળી રહે તે હેતુથી આ યોજના નિયામક, સમાજ સુરક્ષા ખાતા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. નિરાધાર વૃદ્ધ સહાય યોજના શું છે? સરકાર દ્વારા કેટલી સહાય મળે છે? જરૂરી ડોક્યુમેંટ્સ અને અરજી કેવી રીતે કરવી તે વિશેની માહિતી આ આર્ટિકલ માં તમને જોવા મળશે તો લાસ્ટ સુધી આર્ટિકલ વાંચો.

વૃદ્ધ પેન્શન યોજના 2024

આ યોજના નિરાધાર વૃદ્ધ માટે એક આશાકારક નીવડે અને આર્થિક મદદ મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે vrudh sahay yojana શરૂ કરી છે અને વૃદ્ધોને પેંશન સ્વરૂપે આ યોજના નો લાભ મળે છે તેમજ આ યોજના માં સરકાર દ્વારા માસિક પેંશન 700 થી વધારીને 1000 રૂપિયા પણ કર્યું છે.

વૃદ્ધ પેન્શન યોજના 2024 – હાઈલાઈટ્સ

યોજના નું નામનિરાધાર વૃદ્ધ પેન્શન યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા
વિભાગનિયામક સમાજ કલ્યાણ વિભાગ
લાભાર્થીગુજરાત ના વૃદ્ધ નિરાધાર વ્યક્તિ
મળવાપાત્ર સહાયમાસિક રૂપિયા 1000 ની સહાય
સત્તાવાર વેબસાઇટ https://sje.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર7923256309

વૃદ્ધ પેન્શન યોજનાનો ઉદેશ્ય

આ Vrudh Pension Yojana Gujarat થકી ગુજરાતના નિરાધાર વૃદ્ધ લોકો ને આર્થિક રીતે મદદ મળે અને તેઓ પણ પોતાની રીતે પગભર રહીને જીવન પસાર કરે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે તેમજ તેઓ પણ આર્થિક રીતે ભૌતિક સગવડ મેળવી શકે અને સારી રીતે જીવન જીવી શકે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

નિરાધાર વૃદ્ધ લોકો માટે ગુજરાત સરકાર દ્વારા પેંશન સ્વરૂપે આ યોજના શરૂ કરવામાં આવી છે તો આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પાત્રતા હોવી જરૂરી છે:

  • ૬૦ કે તેથી વધું ઉંમરની વ્યક્તિ હોવી જરૂરી છે.
  • 21 વર્ષ કે તેથી વધુ ઉમર નો પુત્ર ના હોય
  • ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત માં રહેતાં હોય.
  • પુત્ર અસ્થિર મગજનો,કેન્સર કે કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોય તો તેવા વૃદ્ધ આ યોજના નો લાભ લઈ શકે છે.
  • અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય સ્તરે ૧,૨૦,૦૦૦ અને શહેરી સ્તરે ૧,૫૦,૦૦૦ કરતાં વધું ના હોવી જોઈએ.
  • જો અરજદાર દિવ્યાંગ હોય (૭૫ ટકા) અને તેની ઉંમર 45 વર્ષથી વધું હોય તો પણ તે અરજી કરી શકે છે.
  • ૬૦ થી વધુ વય ધરાવનાર દંપતી / બન્નેને મળે

વૃદ્ધ પેન્શન યોજનામાં મળતો લાભ

નિરાધાર વૃદ્ધ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે:

  • આ vrudh sahay yojana gujarat માં જે નિરાધાર વૃદ્ધ લોકો છે તેમને સરકાર દ્વારા માસિક પેંશન સ્વરૂપે ૧૦૦૦ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે.
  • ૮૦ કે તેથી વધું ઉંમરની વ્યક્તિ ને માસિક રૂપિયા ૧૨૫૦/- મળવાપાત્ર રહેશે.
  • આ યોજનામાં વૃદ્ધ દંપતિને બંને ને સહાય મળે છે.

આ યોજનામા અરજી કરવા માટેના દસ્તાવેજો

વૃદ્ધ પેન્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ નીચે મુજબ છે:

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • ઉંમરનો પુરાવો
  • આવકનો દાખલો
  • જો દિવ્યાંગ હોવ તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર
  • બેન્ક એકાઉન્ટ નકલ
  • પાસપોર્ટ ફોટો

અરજી કઈ રીતે કરવી?

  • Vrudh Pension Yojana Gujarat માટે અરજી કરવા માટે ફોર્મ તમને જિલ્લા કલેકટર કચેરી, તલાટી ની ઓફીસ અથવા ગ્રામ પંચાયતમાં મળી જશે.
  • નીચે આપેલી લીંક દ્વારા પણ તમે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. Download Form
  • ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતમાં થી તમે ઓનલાઈન અરજી કરી શકો છો જેમાં VCE હશે તે તમને ઓનલાઈન અરજી કરી આપશે.
  • ઓનલાઇન ફોર્મ ભરી દીધા બાદ તમારે તે ભરાયેલ ફોમની પ્રિન્ટ કઢાવીને અરજી મામલતદાર ઓફિસમાં આપવાની રહેશે.
  • ત્યારબાદ તમારા બધા જ ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે અને ત્યાં ત્યારબાદ મંજુર અથવા ના મંજૂર કરવામાં આવશે તે માટે તમને મેસેજ આવી જશે.
  • જો તમારી અરજી મંજૂર થઈ જાય તો તમને તમારા ડાયરેક્ટ બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા થવાનું ચાલુ થઈ જશે.
  • અને જો તમારી અરજી ના મંજૂર કરવામાં આવે તો તમે 60 દિવસની અંદર મામલતદાર કચેરીએ જઈને અપીલ કરી શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો