સનેડો સહાય યોજના 2024 : ખેડૂતોને સનેડો ખરીદવા માટે સરકાર આપશે 25,000 ની સહાય

સનેડો સહાય યોજના 2024 : ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત છે. રાજ્યમાં કૃષિ અને સહકાર વિભાગ દ્વારા પણ ખેડૂતો માટે ikhedut Portal બનાવેલ છે. આઈ-ખેડૂત પોર્ટલ પર તાર ફેન્‍સીંગ સહાય યોજના, તાડપત્રી સહાય યોજના વગેરે જેવી ઘણી બધી યોજનાઓ ઓનલાઈન પોર્ટલ મૂકેલ છે. પરંતુ આજે આપણે સનેડો સહાય યોજના વિશે વાત કરીશું.

સનેડો સહાય યોજના 2024

આ યોજના કૃષિ સાધન સહાય યોજના છે. આ Sanedo Mini Tractor Yojana 2024 ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી સાધન સહાયની આપવામાં આવશે. આ યોજના હેઠળ ખેડૂતોને સનેડો ખરીદવા માટે કુલ કિંમતના 25% અથવા રૂપિયા 25,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે. આ સહાય યોજના મેળળ્યા બાદ લાભાર્થી ખેડૂતોને આવનાર 7 વર્ષ સુધી સહાય મળશે નહીં. લાભાર્થી ખેડૂતને આ યોજના હેઠળ ખરીદેલા સનેડો બે વર્ષ સુધી વેચી શકશે નહીં. આ સાધનનો ખેડૂતો માત્ર ખેતી કામમાં જ તેનો ઉપયોગ કરી શકશે. તો ચાલો આ યોજનાના ફોર્મ કેવી રીતે ભરવા તથા તેના માટે શું શું ડોક્યુમેન્‍ટ જોઈએ? તેની માહિતી મેળવો.

સનેડો સહાય યોજના 2024 – હાઈલાઈટ્સ

યોજનાનું નામસનેડો સહાય યોજના
ક્યા વિભાગ દ્વારા ચાલુ કરેલ છે?કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
કોણે-કોણે લાભ?ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂતોને
કેટલી સહાય?આ યોજના હેઠળ કુલ કિંમતના 25% અથવા રૂપિયા 25,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.
અરજી ક્યાં કરવાની રહેશે?આ યોજનાની અરજી ઓનલાઈન કરવાની રહેશે.
ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થઈ? 29/12/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 29/01/2024
સત્તાવાર વેબસાઈટikhedut.gujarat.gov.in

સનેડો સહાય યોજનાનો ઉદેશ્ય

Sanedo Shahay Yojana દ્વારા ખેડૂતો ને ખેતી માટે સનેડો આપવામાં આવશે જેની ખરીદી પર 25% અથવા ₹25,000 ની સબસિડી આપવામાં આવશે જેના થકી ખેડુત પોતાની ખેતી દરમિયાન પોતાના ખેતર માં પોતાના જ સાધન વળે ખેતી કરી શકે છે.

જેથી ખેડુત પોતે આત્મનિર્ભર બની પોતાનું ગુજરાન ચલાવી શકે છે અને ખેતીમાંથી વધુ ઉત્પાદન કરી શકે અને આર્થિક સ્થિતિ માં સુધારો લાવી શકે . પરિસ્થિતિ નબળી હોવાના કારણે ખેતી માટે સાધન નહિ લઈ શકતા ખેડૂતો માટે આ ઉત્તમ તક છે

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા તથા નિયમો બનાવેલ છે. જે લાભાર્થી ખેડૂત ધરાવતો હોવો જોઈએ.

  • લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થી આ યોજનાનો લાભ 7 વર્ષમાં માત્ર એક જ વાર લઈ શકશે.
  • જો બેંક ખાતું સંયુકત હોય તો અન્ય નામ ધરાવતા વ્યક્તિનું સહમતી પત્રક જોઈશે.
  • ખેડૂતને આ યોજના હેઠળ મળેલ સનેડો 2 વર્ષ સુધી વહેંચી શકશે નહીં.
  • આ યોજના હેઠળ મેળવેલ સાધન સહાયનો ઉપયોગ માત્ર ખેતીને લગતાં કામો માટે જ કરવાનો રહેશે.
  • આ સનેડામાં પેસેન્જર વાહન બનાવી શકાશે નહીં. અને તેનો ઉપયોગ પેસેન્જરના પરિવહન કરી શકશે નહીં.

સનેડો સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

ખેડૂતોને કૃષિ મેળો ખરીદવા માટે કુલ કિંમતના 25% અથવા તો 25000 રૂપિયા ની સહાય આપવામાં આવશે.પણ આ યોજના માં એક અપવાદ આપવામાં આવેલો છે, કે એક વાર આ યોજનાનો લાભ મળ્યા પછી 7 વર્ષ સુધી સહાય મળશે નહીં અને આ સમયે 2 વર્ષ સુધી વેચી પણ નહીં શકાય.

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોઓએ નીચે મુજબના ડોક્યુમેન્‍ટ આપવાના રહેશે.

  • ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક
  • 7/12, 8-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ
  • બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
  • આધારકાર્ડની નકલ
  • કબુલાતનામું અને સ્વ-ઘોષણા પત્રક
  • લાભાર્થી ડ્રાઈવીંગ લાઈસન્‍સ ધરાવતા હોવા જોઈએ.

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે
  • આઇ ખેડૂત પોર્ટલ પર ગયા બાદ લોગીન ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે .
  • ત્યારબાદ તમારી સામે Sanedo Shahay Yojana ની માહિતી આવશે તેમાં સનેડો સહાય યોજના ઉપર ક્લિક કરી આ યોજનાનો ફોર્મ ભરવાનું રહેશે.
  • ફોર્મ ભર્યા બાદ ઓનલાઇન અરજીની પ્રિન્ટ કાઢી લેવી.
  • અરજી દરમિયાન ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ પર સરકાર માન્ય સનેડાના વેપારી અને તેમની દુકાનની માહિતી આપવામાં આવશે.
  • ખેડૂતોએ સનેડો ખરીદવા માટે સરકાર માન્ય વેપારી પાસેથી જ સનેડો ખરીદવાનો રહેશે.
  • સનેડો ખરીદ્યા બાદ સનેડા નું બિલ લેવું અને સનેડામાં લાગેલા એન્જિન નું બિલ પણ લેવું.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો