શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે નૈનિતાલ બેંકમાં ક્લાર્ક તથા અન્ય કુલ 110+ જગ્યાઓ પર કાયમી નોકરીનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
નૈનિતાલ બેંક ભરતી 2023
નૈનિતાલ બેંક દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
નૈનિતાલ બેંક ભરતી 2023 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ
નૈનિતાલ બેંક
નોકરીનું સ્થળ
ભારત
અરજી કરવાનું માધ્યમ
ઓનલાઇન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ
05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
27 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક
https://www.nainitalbank.co.in/
પોસ્ટનું નામ
પોસ્ટનું નામ
ક્લાર્ક
મેનેજમેન્ટ ટ્રેઈની
શૈક્ષણિક લાયકાત
નૈનિતાલ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે. વધુમાં તમને કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે.
ઉમર મર્યાદા
નૈનિતાલ બેંક ની આ ભરતીમાં વયમર્યાદા 21 વર્ષ થી લઈ 32 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.