કિસાન પરિવહન યોજના 2024 : ગુજરાત સરકાર દ્વારા લોકોને મદદ કરવા માટે ઘણી યોજના દ્વારા સુવિધાઑ પૂરી પાડે છે. જેમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ, લોકોને આર્થિક સહાય કે સાધન સહાય, ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. ત્યારે તેમાં એક યોજના કિસાન પરિવહન યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને પોતાના પાકને બજારમાં વેચવા માટે વાહનની જરૂરિયાત પડતી હોય છે. જેથી તેઓ ભાડે વાહન રાખે છે અને ઘણો ખર્ચ કરે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ યોજના થકી ખેડૂતો પોતાનું વાહન ખરીદી શકે અને તેમાં આર્થિક મદદ મળી રહે તે હેતુથી આ યોજના ચલાવવા આવે છે. આવો જોઈએ કઈ રીતે આ યોજનાનો લાભ લેવો અને તેમની છેલ્લી તારીખ કઈ છે.
અનુક્રમણિકા
ખેડૂતોને કિસાન પરિવહન યોજના 2024
યોજનાનું નામ
ખેડૂતોને કિસાન પરિવહન યોજના 2024
રાજ્ય
ગુજરાત
સહાય
કુલ ખર્ચના 35 %અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે
અરજી નો પ્રકાર
ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ
ikhedut.gujarat.gov.in
ખેડૂતોને કિસાન પરિવહન યોજના 2024
ખેડૂતોને કિસાન પરિવહન યોજના નો હેતુ
આપણે બધા જાણીએ છીએ કે ખેતીની જમીન પર પાક ઉગાડવો અને તેને પ્રાણીઓ, જંતુઓ અને હવામાનથી સુરક્ષિત રાખવું કેટલું મુશ્કેલ છે. તેટલી મહેનત પછી પણ જો ખેડૂતને તેમના પાકની સંતોષકારક કિંમત ન મળી તો તે ખૂબ જ નિરાશાજનક છે. ખેડૂતો તેમના પાક વેચવા માટે બજારમાં જાય છે અને બજારો સામાન્ય રીતે શહેરોમાં હોય છે, તેથી ખેડૂતોને પાકને બજારમાં લઈ જવા માટે વાહનની જરૂર હોય છે. અને તમામ ખેડુતો પાસે વાહન નથી, ખાસ કરીને નાના ખેડૂતો. તેઓએ તેમના પાકને બજારમાં લઈ જવા માટે ટ્રાન્સપોર્ટરની વ્યવસ્થા કરવાની જરૂર છે. આ વિલંબમાં પાકને હવામાનની અસર થાય છે અને ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળતો નથી.ખેડૂતો કૃષિ ઉત્પાદનના પરિવહન માટે સામાન્ય રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરતાં હોય છે. તેમજ નાના ખેડૂતો ઓછું પાક ઉત્પાદન થતું હોવાથી તે ભાડૂતી વાહન અન્ય માલવાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બઝારો કે અન્ય બજારોમાં પહોચડતા હોય છે. જેથી ઘણી વખત પરિવહન માટે કોઈ વાહન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ખેડૂતોને આ સમસ્યા નિવારવા માટે પોતાના ઘરનું કૃષિ વાહન ખરીદી કરવા માટે કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતો વાહનની ખરીદી પર 75000 રૂપિયા ની નાણાકીય સહાય આપવામાં આવે છે.