કારીગર સહાય યોજના 2023 : ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્તકલાના કુટિર ઉદ્યોગના કારીગરોને ધંધાના વિકાસ માટે કાચો માલ ખરીદવા નાણાકીય મૂડીની જરૂરિયાત પડતી હોય છે. આ નાણાંકીય જરૂરીયાત માટે કારીગરોએ નાણાકીય સંસ્થાઓ /ખાનગી ધિરાણકર્તા ઉપર આધાર રાખવો પડે છે. જેનો વ્યાજદર ઉંચો હોવાથી વર્તમાન સમયમાં કુટિર ઉદ્યોગના કારીગરોને બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે.
અનુક્રમણિકા
કારીગર સહાય યોજના 2023
દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના ગુજરાત રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ હસ્તકના ઈન્ડેક્ષ-સી હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટેની યોજના. ગુજરાત સરકારશ્રીના કુટિર અને ગ્રામોદ્યોગ હસ્તકના ઈન્ડેક્ષ્ટ-સીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આર્ટીઝન તરીકે કાર્યરત છે. જેમા& નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટે આ યોજના અમલમાં લાવવામાં આવેલ છે. અગાઉના આર્ટીકલમાં આપણે પોલ્ટ્રી ફાર્મ લોન યોજના, નવા ધંધા માટે (મુદ્દતી) ટર્મ લોન યોજના, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાની વિગતવાર માહિતી મેળવી.
કારીગર સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ
યોજનાનું નામ | દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના |
વિભાગનું નામ | ઉદ્યોગ અને ખાણ વિભાગ |
પેટા વિભાગ/કચેરી નું નામ | જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | કારીગર |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | વ્યાજ સહાય |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? | તમામ કારીગર |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://cottage.gujarat.gov.in |
કારીગર સહાય યોજના કોને મળવાપાત્ર છે?
- દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના ગુજરાત રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ હસ્તકના ઈન્ડેક્ષ-સી હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને સહાય મળવાપાત્ર છે.
આ યોજના અંતર્ગત સહાયના ધોરણો
કારીગર સહાય યોજના | |
જનરલ કેટેગરી (પુરુષ) | અનામત કેટેગરી (અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ)/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ |
20% | 25% |
કારીગર સહાય યોજનામાં મળવાપાત્ર લાભ
આ યોજના હેઠળ 7% દરે વ્યાજ સહાય મળવાપાત્ર થશે,. જે સહાય દર 6 મહિને બેંક તરફથી ક્લેઈમ મળ્યેથી લાભાર્થીના ખાતામાં જમા કરાવવાની રહેશે. આ સહાય મહત્તમ ત્રણ વર્ષ સુધી જ મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી નિયમીત બેંક નક્કી કરે તે મુજબ હપ્તા ભરનાર લાભાર્થીને બેંકની ભલામણથી ફરીથી આ યોજના હેઠળ લાભ આપી શકાશે. પરંતુ મહત્તમ ત્રણ વાર આ જ શરતો હેઠળ આ યોજનાનો લાભ મળી શકશે.
આ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો
દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના માટે કેટલાક ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- નિત અરજીપત્રક (બે નકલમાં)
- પાસપોર્ટાઇઝના પ્રકાશ બેસ (ફોટાની બંને નકલો ઉપર ચોંટાડવા)
- બસ સર્ટીફિકચરનું ચાર.
- આરોગ્ય સહાય ફોર્મ
- આઠ ઓળખપત્ર/આધારકાર્ડ,
- આર્ટીઝન કાર્ડ,
- જન્મ નોંધણીનું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર,
- જો સાધન-ઓજાર સ્થિતિના હોય તો તેના ટીન/વેટ નંબરવાળા ભાવપત્રકો,
- સૂચિ ધંધો સ્થાળનો આધાર (ભાડા ચિઠ્ઠી/ભાડા દસ્તાવેજ,
- તમેવેરાની વગેરે
- ઉપયોગ કરવાની જરૂર હોય તો પુરો કરો/ સંમતિ પત્રક.
અરજી કઈ રીતે કરવી?
ચૂંટણી ઓળખપત્ર/આધારકાર્ડ, આર્ટીઝન કાર્ડ, જન્મ નોંધણીનું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર, જો સાધન-ઓજાર ખરીદવાના હોય તો તેના ટીન/વેટ નંબરવાળા ભાવપત્રકો, સૂચિત ધંધાના સ્થળનો આધાર (ભાડાચિઠ્ઠી/ભાડા કરાર, મકાનવેરાની પહોંચ વગેરે). વીજળી વપરાશ કરવાની હોય તો તેનો પુરાવો/ સંમતિ પત્રક.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |