સંત સુરદાસ યોજના
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સમાજના દરેક વ્યક્તિને લાભ મળે એવી રીતે નવી નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેમ કે વિકલાંગ સહાય યોજના, દિવ્યાંગ સહાય યોજના, વૃદ્ધ સહાય યોજના અને વિધવા પેન્સન યોજના. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ તમામ યોજનાઓનો લાભ લઈને સમાજના નાના બાળકો, વડીલો અને વૃદ્ધોને જીવન જીવવામાં સરળતા રહે છે. હમણાજ સરકાર દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી છે . આ યોજનાનું નામ સંત સુરદાસ યોજના છે આ યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. સંત સુરદાસ યોજના અંગે વધુ માહિતી નીચેના ફકરાઓમાં આપેલ છે.
સંત સુરદાસ યોજના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ ગુજરાત- SJED દ્વારા તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટે, દિવ્યાંગ લોકોનો સર્વાંગી વિકાસ થાય તેમજ દિવ્યાંગ લોકોને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય તે હેતુથી સંત સુરદાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આમ દિવ્યાંગ લોકોના સર્વાર્ત્રિક વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા સંત સુરદાસ યોજના બહાર પાડવામાં આવે છે.
યોજનાનું નામ: | સંત સુરદાસ યોજના |
ભાષા: | ગુજરાતી |
ઉદ્દેશ: | દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય. |
લાભાર્થી: | દિવ્યાંગતા ધરાવતા ગુજરાતના લાભાર્થીઓને |
Official Website: | Click Here |
સંત સુરદાસ યોજના પાત્રતા
ગુજરાત સરકારના ઈ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંત સુરદાસ યોજના માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે. આ યોજના અંગેની તમામ પાત્રતા નીચે મુજબ છે.
- 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ મળે.
- 0 થી 17 વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે
- ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલ યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવનારને લાભ મળવાપાત્ર છે.
- શહેરી વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિઓને મળવાપાત્ર છે.
સંત સુરદાસ યોજના જરૂરી દસ્તાવેજો
ગુજરાત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સંત સુરદાસ યોજના માટે ડોક્યુમેન્ટ્સનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે.
- દિવ્યાંગ ઓળખકાર્ડની નકલ
- સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ / ચૂંટણીકાર્ડ / ડ્રાઈવીંગ લાઈસન્સ વગેરે)
- ઉંમર અંગેનો પુરાવો (L.C / જન્મનો દાખલો કોઈપણ એક)
- ગ્રામ્ય વિસ્તાર માટે 0 થી 20 નો બીપીએલ સ્કોરનો ગ્રામ પંચાયતનો દાખલો / સુવર્ણ જયંતિ કાર્ડ પૈકી કોઈપણ એક
- બેંક પાસબુકની નકલ
- આધારકાર્ડ
સંત સુરદાસ યોજના સહાયની રકમ
સંત સુરદાસ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસતા દિવ્યાંગ લાભાર્થીઓને માસિક રૂ.600/- (છસ્સો રૂપિયા) પેન્શન આપવામાં આવે છે. આ સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર ) દ્વારા જમા કરવામાં આવે છે.
સંત સુરદાર યોજના આવેદન
સંત સુરદાસ યોજના માટે નાગરિકોને સરકારી કચેરીમાં વારંવાર ન જવું પડે તેવા હેતુથી ઓનલાઈન ફોર્મ ભરવાની સેવા ઉપલબદ્ધ કરવામાં આવે છે. સંત સુરદાસ યોજના અંતર્ગત વિકલાંગો માટે નાણાકીય સહાય માટેની અરજી કોઈ પણ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. જે માટે નીચે મુજબના પગલા અનુસરવાના રહેશે.
- સૌપ્રથમ ગુગલમાં જઈને e samaj kalyan portal ટાઈપ કરવું.
- જ્યાં ઈ સમાજ કલ્યાણની ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ ખોલવાની રહેશે.
- ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર નવા User હોય તો –New User? Please Register Here-. જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
- સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ -e samaj kalyan Citizen Login- પર Click કરીને લાભાર્થીએ પોતાનું વ્યકિતગત પેજ ખોલવાનું રહેશે.
- લાભાર્થી દ્વારા જે પ્રમાણે પોતાની જ્ઞાતિ રજીસ્ટ્રેશન વખતે બતાવી હશે તે મુજબ યોજનાઓ બતાવતી હશે.
- જેમાં સંત સુરદાસ ઓનલાઈન ઉપર જઈને પોતાની માહિતી ભરીને અરજી પૂર્ણ કરવાની રહેશે.
દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ
ગુજરાત સરકારની સંત સુરદાસ યોજનાનો લાભ આપવા માટે ગુજરાત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગતાની ટકાવારી નક્કી થયેલી છે. કઈ-કઈ દિવ્યાંગતા માટે કેટલી ટકાવારી નક્કી થયેલી છે તે નીચે મુજબ છે.
ક્રમ નં | દિવ્યાંગતા | મળવાપાત્ર લાભ માટે દિવ્યાંગતાની ટકાવારી |
1 | અંધત્વ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
2 | આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
3 | સાંભળવાની ક્ષતિ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
4 | ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
5 | સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
6 | ઓછી દ્રષ્ટી | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
7 | ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
8 | બૌધ્ધિક અસમર્થતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
9 | હિમોગ્લોબિનની ઘટેલી માત્રા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
10 | રકતપિત-સાજા થયેલા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
11 | દીર્ધકાલીન અનેમિયા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
12 | એસીડના હુમલાનો ભોગ બનેલા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
13 | હલન-ચલન સથેની અશકતતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
14 | સેરેબલપાલ્સી | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
15 | વામનતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
16 | માનસિક બિમાર | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
17 | બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
18 | ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
19 | વાણી અને ભાષાની અશકતતા | 80% કે તેથી વધુ |
20 | ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ | 80% કે તેથી વધુ |
21 | બહેરા અંધત્વ સહિત અનેક અપંગતા | 80% કે તેથી વધુ |
અગત્યની નોંધ:
સંત સુરદાસ યોજના ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ રૂરલ ડેવલેપમેન્ટ તેમજ શહેરી વિસ્તાર માટે ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પોવટી એલીવેશન તરફથી જે લાભાર્થીઓ બી.પી.એલ (બીપીએલ) ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની યાદીમાં સામેલ હોય તેવા દિવ્યાંગ વ્યક્તિઓને ‘સંત સુરદાસ યોજના’ નો લાભ મળવાપાત્ર છે.
Read Also: Pashu Sanchalit Vavaniyo