Padma Awards Announcement: ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ વર્ષે પાંચને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110ને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને અભિનેતા ચિરંજીવીને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અભિનેતા મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના જાણીતા ડોક્ટર તેજસ પટેલને પદ્મ ભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને આર્ટ ક્ષેત્રે પદ્મશ્રી એનાયત કરવામાં આવશે.તો આપણે આ આર્ટિકલ માં જોઈશું કોને કોણે મળશે વર્ષ 2024 ના પદ્મ પુરસ્કાર
અનુક્રમણિકા
Padma Awards 2024 । પદ્મ પુરસ્કાર 2024 હાઈલાઈટ્સ
પોસ્ટ નું નામ | પદ્મ પુરસ્કાર 2024 |
વર્ષ | 2024 |
પુરસ્કાર નું નામ | પદ્મ વિભૂષણ,પદ્મ ભૂષણ અને પદ્મશ્રી |
મંત્રાલય નું નામ | ભારત સરકાર |
હોમપેજ | અહી ક્લિક કરો |
કયા કયા નામાંકિત વ્યક્તિઓને મળશે પદ્મ પુરસ્કાર?
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી વૈજયંતિમાલા, પ્રખ્યાત નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમ, દક્ષિણના ફિલ્મ કલાકારો ચિરંજીવી અને બિંદેશ્વર પાઠક (મરણોત્તર)ને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે તો, બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી, ઉષા ઉથુપ, ફાતિમા બીબી (મરણોત્તર), ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ રામ નાઈકને પદ્મ ભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ગુજરાતના જાણીતા ડો. તેજસ પટેલ સહિત 8 હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
પદ્મ સન્માન મળેલ 8 ગુજરાતીઓ ના નામ
નામ | મળેલ સન્માન | કયા ક્ષેત્ર માં મળેલ ? |
---|---|---|
ડૉ.તેજસ પટેલ | પદ્મભૂષણ. | મેડિસીન |
કુંદન વ્યાસ | પદ્મભૂષણ | પત્રકારત્વ |
રઘુવીર ચૌધરી | પદ્મશ્રી | સાહિત્ય |
યઝદી ઈટાલિયા | પદ્મશ્રી | મેડિસીન |
હરીશ નાયક | મરણોપરાંત પદ્મશ્રી | સાહિત્ય |
દયાળ પરમાર | પદ્મશ્રી | મેડિસીન |
જગદીશ ત્રિવેદી | પદ્મશ્રી | કળા |
કિરણ વ્યાસ. | પદ્મશ્રી | યોગ |
રમતગમતમાં પદ્મ એવોર્ડ મેળવનાર ખેલાડીઓ
- રોહન બોપન્ના, કર્ણાટક
- જે. ચિન્નાપા, તમિલનાડુ
- ઉદય વિશ્વનાથ દેશપાંડે, મહારાષ્ટ્ર
- ગૌરવ ખન્ના, ઉત્તર પ્રદેશ
- સતેન્દ્ર સિંહ લોહિયા, મધ્યપ્રદેશ
- પૂર્ણિમા મહતો, ઝારખંડ
- હરબિન્દર સિંઘ, દિલ્હી
પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ નું લિસ્ટ PDF
પદ્મ પુરસ્કારોની શરૂઆત ક્યારે થઈ
- પદ્મ પુરસ્કારો એટલે કે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. 1954 થી દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસરે આની જાહેરાત કરવામાં આવે છે.
- કળા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન સહિત અનેક ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરનાર અને વિશેષ કાર્ય કરનારને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે.
- padmaawards.gov.in પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર 1954થી ભારત રત્ન અને પદ્મ વિભૂષણ પુરસ્કારો આપી રહી છે. પદ્મ વિભૂષણમાં ત્રણ શ્રેણીઓ હતી – પ્રથમ શ્રેણી, બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણી.
- આ વર્ગોના નામ પાછળથી બદલવામાં આવ્યા. 8 જાન્યુઆરી 1955ના રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેના પછી આ કેટેગરીઓને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી નામ આપવામાં આવ્યું હતું.
આ સન્માન કયા કયા ક્ષેત્ર માં અપાય છે
આ પુરસ્કારો કળા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, દવા, સમાજ સેવા, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, જાહેર કાર્ય, નાગરિક સેવા, વેપાર અને ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ અથવા સેવાઓ માટે આપવામાં આવે છે. આ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે…
- પદ્મ વિભૂષણ: અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે.
- પદ્મ ભૂષણ: ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવા માટે.
- પદ્મશ્રી: વિશિષ્ટ સેવા માટે.
પદ્મ પુરસ્કારથી સન્માનિત હસ્તીઓને કયા કયા લાભ મળે છે
- દર વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન, પદ્મ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિની સહી અને સીલ ધરાવતું પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે.
- એવોર્ડથી સન્માનિત સેલિબ્રિટીઓને તેમના મેડલની પ્રતિકૃતિ પણ આપવામાં આવે છે, જેને તેઓ કોઈપણ ફંક્શનમાં પહેરી શકે છે.
- ગૃહ મંત્રાલયના મતે આ એવોર્ડ કોઈ ટાઈટલ નથી. તેથી તેનો ઉપયોગ વિજેતાઓના નામ પહેલા કે પછી કરી શકાતો નથી. જો આવું થાય તો ઇનામ પાછું ખેંચી લેવામાં આવી શકે છે.
- આ પુરસ્કારોની સાથે, વિજેતાઓને કોઈ રોકડ પુરસ્કાર, ભથ્થું અથવા રેલ-હવાઈ મુસાફરીમાં ડિસ્કાઉન્ટ જેવી કોઈ સુવિધા આપવામાં આવતી નથી.
પદ્મશ્રી વિજેતા 2024 નું નામ
- પાર્વતી બરુઆ- પ્રથમ મહિલા મહાવત
- જગેશ્વર યાદવ: (સામાજિક કાર્ય)
- ચામી મુર્મુ (સામાજિક કાર્ય, ઝારખંડ)
- ગુરવિંદર સિંઘ (સામાજિક કાર્ય, હરિયાણા)
- સત્યનારાયણ બેલ્લારી (ખેતી, કેરળ)
- દુખુ માઝી (સામાજિક કાર્ય, પશ્ચિમ બંગાળ)
- કે ચેલમ્મલ (જૈવિક ખેતી, આંદામાન અને નિકોબાર)
- સંગથાંકીમા (સામાજિક કાર્ય, મિઝોરમ)
- હેમચંદ માંઝી (મેડિકલ, છત્તીસગઢ)
- યાનુંગ જામોહ લેગો – અરુણાચલ પ્રદેશના હર્બલ દવા નિષ્ણાત
- સોમન્ના – મૈસુરના આદિવાસી કલ્યાણ કાર્યકર
- પ્રેમા ધનરાજ – પ્લાસ્ટિક સર્જન અને સામાજિક કાર્યકર
- ઉદય વિશ્વનાથ દેશપાંડે – આંતરરાષ્ટ્રીય મલ્લખામ્બ કોચ
- યઝદી માણેકશા ઇટાલિયા – સિકલ સેલ એનિમિયાના માઇક્રોબાયોલોજિસ્ટ નિષ્ણાત
- શાંતિ દેવી પાસવાન અને શિવાન પાસવાન: દુસાધ સમુદાયના પતિ-પત્ની, આર્ટવર્ક
- રતન કહાર: લોક સંગીત
- અશોક કુમાર બિસ્વાસ: ચિત્રકાર
- બાલકૃષ્ણન સદનમ પુથિયા વીટીલ: નૃત્ય
- ઉમા મહેશ્વરી ડી: પ્રથમ મહિલા હરિકથા ઘાતાંક
- ગોપીનાથ સ્વૈન – કૃષ્ણ લીલા ગાયક
- સ્મૃતિ રેખા ચકમા – ત્રિપુરાના ચકમા લોઈનલૂમ શાલ વણકર
- ઓમપ્રકાશ શર્મા – માચ થિયેટર કલાકાર
- નારાયણન ઇ પી – કન્નુરના વેટરન થેયમ ફોક ડાન્સર
- ભાગબત પધાન – સબદા નૃત્ય લોકનૃત્ય નિષ્ણાત
- સનાતન રુદ્ર પાલ – પ્રતિષ્ઠિત શિલ્પકાર
- બદ્રપ્પન એમ – વલ્લી ઓયલ કુમ્મી લોક નૃત્યનું પ્રતિપાદક
- જોર્ડન લેપચા – લેપચા જનજાતિમાંથી વાંસના કારીગર
- મચીહન સાસા – ઉખરુલનોા લોંગપી કુંભાર
- ગદ્દમ સમૈયા – જાણીતા ચિંદુ યક્ષગનમ થિયેટર કલાકાર
- જાનકીલાલ – ભીલવાડાના બેહરુપિયા કલાકાર
- દસારી કોંડપ્પા – ત્રીજી પેઢીના બુરા વીણા ખેલાડી
- બાબુ રામ યાદવ – બ્રાસ મરોરી કારીગર
- નેપાળ ચંદ્ર સૂત્રધર – ત્રીજી પેઢીના છાઉ માસ્ક નિર્માતા
- સરબેશ્વર બસુમતરી – ચિરાંગના આદિવાસી ખેડૂત
પદ્મ ભૂષણ 2024 વિજેતાઓ ના નામ
- એમ ફાતિમા બીવી (પબ્લિક અફેર) – કેરળ
- હોર્મુસજી એન કામા (સાહિત્ય અને શિક્ષણ) – મહારાષ્ટ્ર
- મિથુન ચક્રવર્તી (કલા) – પશ્ચિમ બંગાળ
- સીતારામ જિંદાલ (વેપાર અને ઉદ્યોગ) – કર્ણાટક
- યંગ લિયુ (વેપાર અને ઉદ્યોગ) – તાઈવાન
- અશ્વિન બાલાચંદ મહેતા (મેડીસીન) – મહારાષ્ટ્ર
- સત્યબ્રત મુખર્જી (પબ્લિક અફેર) – પશ્ચિમ બંગાળ
- રામ નાઈક (પબ્લિક અફેર) – મહારાષ્ટ્ર
- તેજસ મધુસુદન પટેલ (મેડીસીન) – ગુજરાત
- ઓલાનચેરી રાજગોપાલ (પબ્લિક અફેર) – કેરળ
- દત્તાત્રેય અંબાદાસ મયલુ ઉર્ફે રાજદત્ત (કલા) – મહારાષ્ટ્ર
- તોગદાન રિનપોચે (અન્ય – અધ્યાત્મવાદ) – લદ્દાખ
- પ્યારેલાલ શર્મા (કલા) – મહારાષ્ટ્ર
- ચંદ્રેશ્વર પ્રસાદ ઠાકુર (મેડીસીન) – બિહાર
- ઉષા ઉથુપ (કલા) – પશ્ચિમ બંગાળ
- વિજયકાંત (કલા) – તમિલનાડુ
- કુંદન વ્યાસ (સાહિત્ય અને શિક્ષણ – પત્રકારત્વ) – મહારાષ્ટ્ર
પદ્મ વિભૂષણ 2024 વિજેતાઓનું નામ
- વૈજયંતિમાલા બાલી (કલા) – તમિલનાડુ
- કોનિડેલા ચિરંજીવી (કલા) – આંધ્ર પ્રદેશ
- એમ વેંકૈયા નાયડુ (પબ્લિક અફેર) – આંધ્ર પ્રદેશ
- બિંદેશ્વર પાઠક (સામાજિક કાર્ય) – બિહાર
- પદ્મા સુબ્રહ્મણ્યમ (કલા) – તમિલનાડુ