વિધવા સહાય યોજના 2023 જાહેર : વિધવા મહિલાઓને મળશે દર મહિને 1250ની સહાય

રાજયમાં સામાજિક રીતે નબળાં વર્ગો માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગો, વૃદ્ધો વગેરે માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. જેવી વૃદ્ધ સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી Vidhva Sahay Yojana Gujarat Online Application યોજના વિશે માહિતી આપીશું.

આ પણ વાંચો : GACL દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર, અહીંથી કરો આવેદન

વિધવા સહાય યોજના 2023

Women And Child Development Department, Gujarat દ્વારા મહિલાઓને વર્તમાન પ્રવાહમાં લાવવા માટે, સ્ત્રી સશક્તિકરણ કરવા માટે વિવિધ યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં વ્હાલી દિકરી યોજના, 181 મહિલા હેલ્પલાઈન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્‍દ્ર, સખી-વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC) વગેરે યોજનાઓ ચાલે છે. વિધવા સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવાની હોય છે.

વિધવા સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામવિધવા સહાય યોજના ની માહિતી
Vidhva Sahay Yojana Form નો હેતુસમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે હેતુથી આ યોજના હેઠળ આર્ટિકલ સહાય કરવી.
વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાનિરાધાર વિધવા લાભાર્થીઓ કે,
જે આવક મર્યાદામાં આવતા હોય
Vidhva Sahay Yojana Benefitsવિધવા લાભાર્થીઓને દર મહિને
રૂપિયા 1250 ની સહાય મળશે.
અધિકૃત વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/
Vidhva Sahay Yojana Online apply GujaratDigital Gujarat Portal દ્વારા
ઓનલાઈન અરજી કરી શકાશે.
Vidhva Sahay Yojana Gujarat Helpline Number155209
Digital Gujarat Portal Helpline18002335500  

વિધવા સહાય યોજનાનો હેતુ

સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અન્‍વયે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) ” કરવામાં આવ્યું છે. જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.

આ પણ વાંચો : જિલ્લા હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

વિધવા સહાય યોજના કોને મળે? તેની પાત્રતા આવા પ્રશ્નો તમારા મનમાં હશે. પ્રિય વાંચકો આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ગુજરાતના મુળના નાગરિક હોય એમને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજનાનો લાભ વિધવા લાભાર્થીઓને મળશે.
  • ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે.

વિધવા સહાય યોજના માટે આધાર પુરાવા

વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા નક્કી કરેલા છે. વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચે મુજબના છે.

  • વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડની નકલ
  • આવક અંગેનો દાખલો
  • વિધવા હોવા અંગેનો દાખલો
  • પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર
  • અરજદારની ઉંમર અંગેના પુરાવા
  • બેંક ખાતાની નકલ

યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

વિધવા સહાય યોજના ફોર્મનું ફોર્મ ભરવા બાબતે નાગરિકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે. પ્રિય વાંચકો, Vidhwa Pension Scheme નું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. વિધવા લાભાર્થી જો ગ્રામ વિસ્તારના હોય તો તેમને ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જો તાલુકાના અરજદાર હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી કરવાની રહેશે. જેની વધુ માહિતી નીચે મુજબ છે.

આ પણ વાંચો : PM કિસાન 13મો હપ્તો : આ તારીખે જમા થશે ખાતામાં 13માં હપ્તાના 2000 રૂપિયા
  • વિધવા લાભાર્થીઓ સૌપ્રથમ તમામ ડોક્યુમેન્‍ટ ભેગા કરવાના રહેશે.
  • તમામ ડોક્યુમેન્‍ટ એકઠા કર્યા બાદ ગ્રામ પંચાયતના લાભાર્થી હોય તો VCE પાસે જવાનું રહેશે.
  • અને જો તાલુકા/નગરપાલિકા વિસ્તારના લાભાર્થી હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી જવાનું રહેશે.
  • VCE અથવા મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર તમને vidhva sahay yojana gujarat form pdf આપશે.
  • જેમાં અરજદારે ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે. જેની સાથે તમામ દસ્તાવેજો આપવાના રહેશે.
  • વિગતો ભર્યા બાદ તલાટીશ્રીના સહી-સિક્કા કરીને ખરાઈ કરવાની રહેશે.
  • ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરશે.
  • Digital Gujarat Portal
  • ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારને એક પાવતી આપવામાં આવશે.
  • વિધવા લાભાર્થીની ઓનલાઈન અરજી કન્‍‍ફર્મ થઈ જશે.
  • છેલ્લે, લાભાર્થીઓ પોતાનો અરજી ક્રમાંક NSAP Portal પર ઓનલાઈન ચેક કરી શકશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટ Click Here
HomePageClick Here