રાજ્યના અલગ–અલગ વિભાગો દ્વારા ઘણી બધી યોજના બહાર પાડવામાં આવે છે. ખેડૂતો માટે સોલાર ફેન્સીંગ યોજના, વિધવા બહેનો માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, નવો વ્યવસાય ચાલુ કરવા માટે માનવ ગરિમા યોજના વગેરે બહાર પાડવામાં આવેલ છે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના વિશે માહિતી મેળવીશું.
શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના
શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022 નું ગુજરાતમાં શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારે આ યોજનાનું શુભારંભ કર્યું છે. જેમાં 50 નવા ધન્વંતરી રથોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં સૌથી વધારે લાભ ગ્રામીણ ક્ષેત્રોનાં નાગરિક અને જે ગુજરાતના નાગરિકો નાની બીમારીનાં લીધે હોસ્પિટલ નથી અને તેઓ હોસ્પિટલ જઈ શકતા નથી એવા નાગરિકોને આ યોજનાથી મફત લાભ મળશે. તેમને મફતમાં દવા પણ આપવામાં આવશે. આ યોજના વિષે આપણે હજુ આ આર્ટિકલમાં આગળ માહિતી મેળવીશું.
આ યોજનાનો શુભારંભ ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ કરવાની છે. જેમાં ગુજરાતના ગરીબ વર્ગીય પરિવારને લાભ મળશે. આ યોજનામાં નવા 50 ધન્વંતરિ આરોગ્ય રથોનું લોકાર્પણ કરવામાં આવશે. જેનું લોકાર્પણ તારીખઃ 21/10/2022 સવારે 10:00 વાગ્યે થશે. આ યોજનાનો શુભારંભ સ્થળ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ–1, નવા સચિવાલય, ગાંધીનગરમાં થવાનું છે.
શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના – હાઈલાઈટ્સ
યોજનાનું નામ | શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય | ગુજરાતના નાગરિકોની તબિયત સારી હોવી જોઇએ. |
લાભાર્થી | ગુજરાતના નાગરિકો |
લાભ | નાગરિકોને મફતમા નવા 50 ધન્વંતરિ આરોગ્ય રથોનો લાભ મળશે. |
લોકાર્પણ તારીખ | 21/10/2022 |
ઓફિશિયલ વેબસાઈટ | https://glwb.gujarat.gov.in/ |
---|
શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજનાનો હેતુ
આ શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022 માં આ યોજનાનો એજ હેતું છે કે, ગુજરાત રાજ્યોના ગરીબ વર્ગીય પરિવાર નાની બીમારી જેવી કે શરદી, ખાંસી, તાવ જેવી નાની બીમારી હોવા પર દવાખાને નથી જતાં. અને કોઈ વખત એજ બીમારી વિશાળ રૂપ લઈ લે છે. તેના લીધે ઘણાં પરિવાર પોતાના પરિવારજનને ગુમાવે છે. એનાથી બચવા માટે ગુજરાત સરકાર નવા 50 ધન્વંતરિ આરોગ્ય રથોનું લોકાર્પણ કરવાના છે.
શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022 નાં લાભ
આ યોજનાથી ગુજરાત રાજ્યોના ગરીબ વર્ગીય પરિવાર નાની બીમારી જેવી કે શરદી, ખાંસી, તાવ જેવી નાની બીમારી હોવા પર દવાખાને નથી જતાં. અને કોઇ વખત એજ બીમારી વિશાળ રૂપ લઈ લે છે. તેના લીધે ઘણાં પરિવાર પોતાના પરિવારજનને ગુમાવે છે. આ યોજના થી ગુજરાતમાં બીમારીનો દરમાં ધટાડો થશે.
શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022
- આયુષ્માન ભારત યોજનામાં સામેલ હોસ્પિટલે દ્વારા 17 થી વધુ ટેસ્ટ દ્વારા શારીરિક તપાસ કરવામાં આવશે.
- ગુજરાત સરકાર દ્વારા 1000/- પ્રતિ લાભાર્થી, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રૂ. 500/- અને બાકીની રકમ રૂ.500/- લાભાર્થી /સંસ્થા દ્વારા ચૂકવવામાં આવશે.
શ્રમિક સહાયક યોજના હેલ્પલાઇન
- શ્રમ કાયદાને લાગતાં પ્રશ્નો જેવા કે, વેતનના પ્રશ્નો, નોકરીમાંથી છૂટા કરવા, બોનસ, ગ્રેજ્યુએટ ન મળવું, સલામતી સંબંધી જોગવાઈનું પાલન.
- શ્રમિકોની સમસ્યાઓના નિવારણ અર્થે અને વિવિધ શ્રમ કાયદાઓ હેઠળ મળતી ફરિયાદ નિકાલ અને ઝડપી ન્યાય માટે.
- શ્રમિકનાં કલ્યાણ તેમજ સામાજિક સુરક્ષા માટેની વિવિધ બોર્ડ દ્વારા અમલી યોજનાઓની માહિતી અને સહાય અંગેના માર્ગદર્શન માટે.
આ પણ વાંચો : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022 : ફ્રી માં મળશે ગેસ કનેક્શન અને સાથે 1600 રૂપિયા સબસીડી |
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર સાઈટ | Click Here |
HomePage | Click Here |