સક્ષમ શિષ્યવૃતિ સહાય યોજના : વિધ્યાર્થીઓને મળશે 20000 રૂપિયા શિષ્યવૃતિ

આજકાલ દરેક સંથ્થાઑ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી શિક્ષણ સ્તરને ઉપર લાવવાનો છે. આ શિષ્યવૃત્તિમાં રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ, વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના, SBI Asha Scholarship Program 2022 નો સમાવેશ થાય છે. શું તમે જાણો છો સક્ષમ શિષ્યવૃત્તિ યોજના શું છે? આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચો પડશે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોનું ચાંદી થયું આજે સસ્તું, ચાંદીની વધી ચમક, જાણો આજના તાજા ભાવ

સક્ષમ શિષ્યવૃતિ સહાય યોજના

સક્ષમ શિષ્યવૃત્તિ યોજનાએ શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ છે. આ યોજનાનું અમલીકરણ AICTE દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય વિશેષ વિકલાંગ બાળકોને ટેક્નિકલ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન અને સમર્થન આપવાનો છે. આ યોજના દ્વારા વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીને ટેકનિકલ શિક્ષણ/જ્ઞાન દ્વારા સફળ ભવિષ્ય માટે તૈયારી કરવાની તક આપવાનો પ્રયાસ છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા Saksham Scholarship 2023 વિશે તમામ માહિતી મેળવીશું.

સક્ષમ શિષ્યવૃતિ સહાય યોજના – હાઈલાઈટ્સ

યોજનાનુ નામસક્ષમ શિષ્યવૃત્તિ યોજના
અમલીકરણ કરનારી સંથ્થાAICTE (All India Council for Technical Education)
લાભાર્થીવિકલાગ વિદ્યાર્થીઓ
અરજી પ્રક્રિયાઓનલાઇન માધ્યમથી
મળવાપાત્ર રકમમહતમ 2,00,00 રૂપિયા
ઓફિશિયલ વેબસાઇટ http://www.scholarships.gov.in/

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • AICTE દ્વારા મંજૂર કરાયેલી કોઈપણ સંસ્થામાં ઉમેદવારને ડિગ્રી લેવલના કોર્સના પ્રથમ વર્ષમાં અથવા ડિગ્રી લેવલના કોર્સના બીજા વર્ષમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.
  • ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓની વિકલાંગતા 40% કરતા ઓછી ન હોવી જોઈએ.
  • વાર્ષિક કૌટુંબિક આવક આઠ લાખથી વધુ ન હોવી જોઈએ.
  • રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર દ્વારા માન્ય આવક પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • વિદ્યાર્થીઓને અભ્યાસના દરેક વર્ષ માટે વાર્ષિક 50,000/- એટલે કે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે મહત્તમ 4 વર્ષ અને બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે વધુમાં વધુ 3 વર્ષ કોલેજ ફીની ચુકવણી અને અન્ય ખર્ચ માટે.
  • પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વાર્ષિક ધોરણે DBT મોડ દ્વારા શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવશે.
  • ઓનલાઈન પોર્ટલ પર સંસ્થાના વડાના પત્ર અને પાસ થવાનું પ્રમાણપત્ર/માર્કશીટ સબમિટ કરીને રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ દ્વારા આગામી વર્ષ માટે શિષ્યવૃત્તિનું નવીકરણ કરવામાં આવશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ ન કરતાં આવી ભૂલ નહિતર આવી શકે છે મુશ્કેલી, જાણો તમારું ભવિષ્ય

જરૂરી આધાર પુરાવા (દસ્તાવેજો)

  • આધાર કાર્ડ
  • SSC નું પ્રમાણપત્ર અને માર્કશીટની નકલ
  • HSC ના પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ
  • ITI પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ.
  • ડિપ્લોમા પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ.
  • શ્રેણી પ્રમાણપત્ર, જો લાગુ હોય તો.
  • અભ્યાસ/ બોનાફાઇડ પ્રમાણપત્ર
  • વાર્ષિક કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર
  • નવીકરણના કિસ્સામાં પ્રમોશન પ્રમાણપત્ર

અનિવાર્ય સંજોગે શિષ્યવૃતિ ના મળવાનું કારણ

  • જે વિદ્યાર્થીઓ આગલા વર્ગમાં જવામાં નિષ્ફળ થશે તો શિષ્યવૃત્તિ જપ્ત કરશે.
  • લાયકાત પરીક્ષા પાસ કરવાના વર્ષ અને ડિગ્રી કોર્સમાં પ્રવેશના વર્ષ વચ્ચેનો ગાળો બે વર્ષથી વધુ ન હોવો જોઈએ.
  • જો ઉમેદવાર પાછળના વર્ષમાં નિષ્ફળ જાય/છોડી જાય, તો તે પાછળની શિષ્યવૃત્તિ માટે પાત્ર રહેશે નહીં.
  • શિષ્યવૃત્તિનીએ શરતને આધીન છે કે, વિદ્યાર્થીને સંસ્થામાં તેણીના અભ્યાસ દરમિયાન અન્ય કોઈપણ શિષ્યવૃત્તિ, સ્ટાઈપેન્ડ, વગેરેના સ્વરૂપમાં કોઈ નાણાકીય સહાય પ્રાપ્ત કરતો ના હોવો જોઈએ.
  • જો અન્ય કોઈપણ સ્ત્રોતોમાંથી કોઈપણ નાણાકીય સહાય પ્રાપ્ત થવાના કિસ્સામાં, શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવશે અને શિષ્યવૃત્તિની સંપૂર્ણ રકમ AICTEને પરત કરવાની રહેશે.

આ યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ શિષ્યવૃત્તિની ઓફિશિયલ વેબસાઈડ http://www.scholarships.gov.in/ પર જાઓ.
  • How to saksham scholarship registration
  • તેના પછી “New Registration” પર ક્લિક કરો.
  • પછી તમારી સામે નોંધણી શિષ્યવૃત્તિ માટેની માર્ગદર્શિકા દેખાશે.
  • માર્ગદર્શિકા વાંચ્યા પછી “continue” પર ક્લિક કરો.
  • New Registration on Scholarship Portal
  • પછી તમારી સામે નોધણી ફોર્મ દેખશે.
  • વિગત ભરી નોધણી કરો ના વિકલ્પ પર ક્લિક કરો.
  • પછી તમારી એપ્લિકેશનના ID અને પાસવર્ડ દેખશે.
  • આ ID અને પાસવર્ડ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.
  • પછી આ વેબસાઈડ https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction પર જાઓ.
  • પછી તમારો ID અને પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરી લૉગિન કરો.
  • પછી તમારા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો.
  • તમને પાસવર્ડ રીસેટ સ્ક્રીન પર મોકલવામાં આવશે. પછી નવો પાસવર્ડ બનાવો.
  • પછી “સબમિટ કરો” પર ક્લિક કરો. તે પછી તમને “અરજદારના ડેશબોર્ડ” પર નિર્દેશિત કરવામાં આવશે.
  • આગળના પેજ પર “અરજી ફોર્મ” પર ક્લિક કરો. * તરીકે ચિહ્નિત થયેલ વિગતોએ ફરજિયાત ભરી અને દસ્તાવેજો અપલોડ કરો.
  • પછી તમે સેવ એઝ ડ્રાફ્ટ” પર ક્લિક કરો.
આ પણ વાંચો : અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટ Click Here
HomePageClick Here