પાલક માતા પિતા યોજના 2023 : કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર નિરાધાર બાળકો, નિરાધાર વૃધ્ધ તથા વિધવા બહેનો માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે. જેમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય ચલાવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ દ્વારા ‘વિધવા સહાય યોજના’ ચાલે છે. આ તમામ યોજનાઓ દ્વારા આવા લાભાર્થીઓને સીધી આર્થિક સહાય આપવાનો ઉદ્દેશ્ય રહેલો છે. આજે આપણે નિયામક સમાજ સુરક્ષા કચેરી દ્વારા ચાલતી પાલક માતા પિતા યોજના વિશે વાત કરીશું.
પાલક માતા પિતા યોજના 2023
ગુજરાત રાજ્યમાં અનાથ, નિરાધાર બાળકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ Director Social Defense ચાલે છે. જેના અનાથ બાળકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા “અનાથ બાળકો માટે પાલક માતા- પિતા યોજના” અમલીકૃત કરવામાં આવેલ છે. અનાથ બાળકોને દર મહિને રૂ. ૩૦૦૦ની સહાય આપવામાં આવે છે. લાભાર્થી બાળકોના બેક એકાઉન્ટમાં DBT મારફતે સહાયની રકમ ચૂકવાય છે.
પાલક માતા પિતા યોજના 2023 – હાઈલાઈટ્સ
યોજનાનું નામ | પાલક માતા પિતા યોજના |
આર્ટિકલની ભાષા | અંગ્રેજી અને ગુજરાતી |
યોજનાનો ઉદ્દેશ્ય | ગુજરાતના અનાથ બાળકોને દર મહિને આર્થિક સહાય આપીને પગભર બનાવવા માટે |
લાભાર્થીઓ | ગુજરાતના નિરાધાર તથા અનાથ બાળકો |
સહાય કેટલી મળે | દર મહિને 3000 રૂપિયા |
અમલ કરનાર કચેરી | નિયામક સુરક્ષા કચેરી |
વિભાગનું નામ | Social Justice and empowerment department |
સત્તાવાર વેબસાઈટ | https://sje.gujarat.gov.in/ |
પાલક માતા પિતા યોજના હેઠળ મળવાપાત્ર લાભ
પાલક માતા-પિતા યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ સહાય આપવામાં આવે છે. જેમાં “અનાથ બાળકોને દર મહિને રૂ. 3000/- સહાય મળે છે. આવા બાળકોની સાર-સંભાળ રાખતા નજીકના સગાઓને DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવાય છે.
આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
પાલક માતા-પિતા યોજના માટે તેમના વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષના તમામ અનાથ બાળકો
- જેમના માતા-પિતા બંન્ને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
- જો પિતાનું અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કરેલા હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ નજીકના સગાં-સંબંધિઓ કરતા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
પાલક માતા પિતા યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા
જિલ્લા બાળ સુરક્ષા તથા જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા ચાલતી આ યોજના માટે નિયમો અને ડોક્યુમેન્ટ નક્કી થયેલા છે. Palak Mata Pita Yojana Required Document નીચે મુજબ નક્કી થયેલા છે.
- બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C)
- બાળકના માતા-પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ બિડવાનું રહેશે.
- જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું/ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈપણ એક દસ્તાવેજ
- માતાએ પુન:લગ્ન કરેલાનો પુરાવો
- આવકના દાખલાની નકલ (Income Certificate)
- બાળક શિષ્યવૃતિનું બેંક એકાઉન્ટની પાસબુક
- બાળક અને પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ
- બાળકના આધારકાર્ડની નકલ
- પાલક માતા-પિતાના રેશનકાર્ડની નકલ
- બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ
- પાલક માતા-પિતાના આધારકાર્ડની નકલ
આ યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?
નિયામક સમાજ સુરક્ષા દ્વારા આ યોજના અનાથ અને નિરાધાર બાળકો માટે ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા અનાથ બાળકોને દર મહિને એમના ખાતામાં સીધી સહાય આપવામાં આવે છે. આ યોજનાની ઓનલાઇન અરજી E Samaj Kalyan Portal કરવાની હોય છે. પાલક માતા-પિતા યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.
- સૌપ્રથમ Google માં e Samaj Kakyan Portal ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
- ત્યારબાદ Home Page પર “Director Social Defense” પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં નંબર-2 પર “પાલક માતા-પિતા યોજના” પર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી વાંચી લેવાની રહેશે.
- ઈ-સમાજ કલ્યાણ પર જો user ન બનાવેલ હોય તો “Please Register Here!” ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ citizen login બન્યા બાદ User Id, Password અને Captcha Code નાખીને Login કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ એમાં “નિયામક સમાજ સુરક્ષા” ટેબલમાં આપેલા “Palak Mata-Pita Yojana” પર ક્લિક કરો.
- જેમાં વ્યક્તિગત માહિતી, બાળકની માહિતી, બાળકના સગાં ભાઈ બહેનની માહિતી વગેરે ભરવાની રહેશે.
- ત્યારબાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ એકરાર ફોર્મ ભરીને અરજીને સેવ અને confirm કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર વેબસાઇટ | Click Here |
HomePage | Click Here |