મુખ્યમંત્રી પાક્સંગ્રહ યોજના 2022 : પાક્સંગ્રહ ગોડાઉન બનાવવા માટે મળશે ખર્ચની 50% સહાય

ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. જેના માટે વિવિધ યોજના ikhedut Portal મારફતે પ્રકાશિત કરતી રહે છે. ખેડૂતોને ઘણી અનુકૂળ વાતાવરણ હોય તો ખેત પેદાશો સારી થાય છે. પરતું ખેતરમાં પાક સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા હોતી નથી. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ, વાવાઝોડા, તેમજ માવઠા જેવા પરિબળોના કારણે કિસાનો પોતાનો ઉત્પન્ન થયેલો પાક સંગ્રહ કરી શકતા નથી. જેની ચિંતા રાજ્ય સરકાર કરીને ખેડૂતો પોતાના પાકને લાંબા સમય સુધી સાચવી શકે અને તેની ગુણવતા એકદમ પહેલાં જેવી જ રહે તે માટે સબસીડી હેઠળ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

ગોડાઉન સહાય યોજના

રાજ્યએ છેલ્લા દાયકામાં સરેરાશ 10% થી વધુ કૃષિ વિકાસ દર હાંસલ કર્યો છે. દેશમાં પ્રથમ વખત રાજ્યએ કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવતર કાર્યક્રમો આપ્યા છે. આ વર્ષે આ વિકાસ યાત્રામાં એક નવીન પગલું ઉમેરાયું છે. રાજ્યના ખેડૂતો ખેતી માટે જરૂરી ફાર્મ ઈનપુટ્સ વિશે સમયસર માહિતી મેળવી શકે, અત્યાધુનિક કૃષિ માહિતી તેમની આંગળીના વેઢે ઉપલબ્ધ થઈ શકે, ખેડૂતો વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઘરે બેઠા સરળતાથી લાભ મેળવી શકે અને હવામાનના વર્તમાન બજાર ભાવો જાણી શકે. કૃષિ ઉત્પાદનો. વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ લાગુ કરવામાં આવે છે.

આ પણ વાંચો : મુખ્યમંત્રી પાક્સંગ્રહ યોજના 2022 : પાક્સંગ્રહ ગોડાઉન બનાવવા માટે મળશે ખર્ચની 50% સહાય

ગોડાઉન સહાય યોજના- હાઇલાઇટ્સ

યોજનાનું નામપાક સંગ્રહ યોજના । ગોડાઉન સહાય યોજના
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશખેડૂતો ઉત્પન્ન થયેલો પાક સંગ્રહ કરવા માટે
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતોને
સહાયની રકમખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 50,000 (પચ્ચાસ હજાર) બેમાંથી જે ઓછુ હોય તે
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કરવાની છેલ્લી તારીખ05/09/2021

મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ સહાય ધોરણ

આ પાક સંગ્રહ યોજના અન્‍વયે ikhedut portal subsidy નિર્ધારિત થયેલ છે. આ યોજના અન્‍વયે પોતાની જ્ઞાતિ મુજબ સબસીડી કે સહાય નક્કી થયેલ છે. જે નીચે મુજબ છે.

ST (અનુસૂચિત જન જાતિ) માટેએસ.ટી જ્ઞાતિના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 50,000 (પચ્ચાસ હજાર) બેમાંથી જે ઓછુ હોય તે
SC (અનુસૂચિત જાતિ) માટેએસ.સી જ્ઞાતિના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 50,000 (પચ્ચાસ હજાર) બેમાંથી જે ઓછુ હોય તે
અન્ય તમામ જ્ઞાતિઓ માટેઅન્ય તમામ જ્ઞાતિઓના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 50,000 (પચ્ચાસ હજાર) બેમાંથી જે ઓછુ હોય તે

ગોડાઉન બનાવવાની શરતો

રાજ્ય સરકારની Infrastructure Scheme માટે કેટલીક શરતો નક્કી કરેલ છે. ખેડૂતોએ Pak Sangrah Yojana નો લાભ લેવા માટે નીચેની શરતો લાગુ પડશે.

આ પણ વાંચો : તલાટીની પરીક્ષા માટે ઉપયોગી 50+ મોડલ પેપર, મફત PDF ડાઉનલોડ કરો અહીંથી
  • ખેડૂતોએ ઓછામાં ઓછી 330 ચોરસ ફૂટમાં ગોડાઉન બનાવવાનું રહેશે.
  • આ યોજનાનો લાભ લેવા માટે ગોડાઉન(Godown)ની છતની મધ્યમાં ઉંચાઈ 12 ફૂટ રાખવાની રહેશે તથા ઓછામાં ઓછો પાયો જમીનથી 2 ફૂટ ઉંડાઈ વધુ રાખવાની રહેશે.
  • ખેડૂતે જમીનથી ઓછામાં ઓછી 2 ફૂટ ઉંચાઈ(Height)એ પ્લીન્‍થ બનાવવાની રહેશે. પરંતુ ભૌગોલિક અથવા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોભની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટથી ઓછી નહિં હોય તેને માન્ય રાખવીની રહેશે. તેનાથી ઓછી ઊંચાઈવાળું ગોડાઉન સહાય અથવા સબસીડી માટે માન્‍ય ગણાશે નહીં.
  • ગોડાઉનનું પ્લીન્‍થ સુધી તેમજ ફરતી દિવાલોમાં ચણતર કામ કરવાનું રહેશે અને ફ્લોરીંગ PCC પાકું કરવાનું રહેશે.
  • પાક સંગ્રહ માટે ગોડાઉનના કોરુગેટેડ ગેલ્વેનાઈઝ શીટથી કે સિમેન્‍ટના પતરાથી બનાવવાના રહેશે.
  • આ યોજના અન્વયે 300 ચોરસ ફૂટથી નાનું બાંધકામ સહાય કે સબસીડી માટે માન્‍ય રહેશે નહિં.
  • લાભાર્થી ખેડૂત ઓછામાં ઓછું સ્પેશીફિકેશન કરતાં વધારે મોટું ગોડાઉન સ્વ-ખર્ચે બાંધી શકશે.

આ યોજનાનો લાભ લેવા માટેનાં આધાર પુરાવા

i-khedut portal 2021 દ્વારા ચાલુ વર્ષમાં ઘણી સરકારી યોજનાઓના ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરેલ છે. જેમાં આ યોજનાની અરજી માટે નીચે મુજબના Document જોઈશે.

  1. લાભાર્થીનું આધારકાર્ડની નકલ
  2. ikhedut portal 7 12
  3. લાભાર્થીનું રેશનકાર્ડની નકલ
  4. જો ખેડૂત હોય તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  5. વિકલાંગ ખાતેદારો માટે વિકલાં હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  6. જમીનના 7/12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર સંમતિપત્રક
  7. જંગલ વિસ્તાર માટે વન અધિકાર પત્રની નકલ (લાગુ પડતું હોય તો)
આ પણ વાંચો : Pulser બાઈકના શોખીન છો પણ ખરીદવા માટે પૈસા નથી? હવે 1 લાખની પલ્સર બાઈક ખરીદો માત્ર 30 હજારમાં

ગોડાઉન સહાય યોજના ગુજરાતનો લક્ષ્યાંક

આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજનાનો લાભ આપવા માટે નક્કી લક્ષ્યાંક આપેલો છે. જે અન્‍વયે ખેડૂતોની અરજીઓને માન્ય રાખવામાં આવશે અને સબસીડી આપવામાં આવશે.

યોજના અને જ્ઞાતિનું નામ2021-2022 નો લક્ષ્યાંક
અનુસૂચિત જન જાતિ (એજીઆર-3)10600
અનુસૂચિત જાતિ (એજીઆર-4)4900
અન્ય તમામ જ્ઞાતિઓ માટે (એજીઆર-2)40600

મહત્વપૂર્ણ તારીખ

Mukhyamantri Pak Sangrah Yojana 2021 હેઠળ લાભ લેવા માટે લાભાર્થી ખેડૂતે તારીખ-05/08/2021 થી 05/09/2021 સુધી કોઈપણ જગ્યાએથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : ધોરણ 10-12 ની માર્કશીટ ખોવાઈ ગઈ છે? હવે GSEB ડુપ્લિકેટ માર્કશીટ ડાઉનલોડ કરો @gsebeservice.com

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here