માનવ કલ્યાણ યોજના 2023 : રાજ્ય સરકાર દ્વારા ગરીબો, વંચિતો તેમજ આર્થિક પછાત લોકો માટે ઘણી બધી સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમ કે ખેડૂતો માટે વિવિધ યોજણાઓનો લાભ આપવા માટે આખું ikhedut portal બનાવેલ છે. વિધવા બહેનોને આર્થિક સહાય આપવા માટે વિધવા સહાય યોજના આપવામાં આવે છે. વૃદ્ધ નાગરિકો માટે વૃદ્ધ સહાય યોજના પણ બનાવેલ છે. E Samaj Kalyan Portal પર માનવ ગરિમા યોજના પણ ઓનલાઈન મુકવામાં આવે છે. પરંતુ આજે આપણે માનવ કલ્યાણ યોજના 2023 વિશે માહિતી મેળવીશું.
માનવ કલ્યાણ યોજના 2023
કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્વારા Manav Kalyan Yojana 2023 યોજનામાં ચલાવવામાં આવે છે. રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગો, ગરીબ લોકો સ્વરોજગાર ઉભો કરીને આત્મનિર્ભય બને ખૂબ જરૂરી છે. આ યોજના દ્વારા ધંધો, રોજગારી ઉભી કરી શકે તે માટે ઓજારો અને સાધનોની સહાય આપવામાં આવે છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ e–Kutir Portal ભરાય છે. આજે આ આર્ટિકલના માધ્યમથી માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી મેળવીશું.
આ યોજના બહાર પાડવામાં આવેલ છે. અગાઉના વર્ષોમાં આ યોજનાના અરજી ફોર્મ મેન્યુઅલ રીતે ભરાતા હતા. e-Kutir Gujarat પર આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેથી ગુજરાતના નાગરિકો આ યોજનાનો લાભ લેવા ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે.
માનવ કલ્યાણ યોજના 2023 – હાઈલાઈટ્સ
આર્ટિકલનું નામ | Manav Kalyan Yojana |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને |
મળવાપાત્ર સહાય | નવો ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય |
અરજી પ્રક્રિયા | Online |
Official Website-1 | http://www.cottage.gujarat.gov.in/ |
Official Website-2 | https://e-kutir.gujarat.gov.in/ |
માનવ કલ્યાણ યોજનાનો લાભ
રાજ્યમાં આર્થિક નબળા કારીગરો જેમને નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવો છે. પરંતુ એમની પાસે આર્થિક મૂડી નથી તો તેમના માટે આ યોજના અમલી બનાવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવે છે. જે ના રોજગારીની નવીન તકો પણ પૂરી પાડે છે. લાભ મેળવીને નાના વ્યવસાયો શરૂ કરીને એમની નાણાંકીય સ્થિતિમાં સુધારો કરી શકે છે. માનવ કલ્યાણ યોજનાના કેટલાક લાભો અને વિશેષતાઓ અહીં છે.
- આર્થિક રીતે નબળાં કારીગરો આ યોજનાનો લાભ લઈ શકે છે.
- ઓછી આવક ધરાવતા રાજ્યના નાગરિકોને સાધન સહાય આપવામાં આવે છે.
- દરજી, કુંભાર, મોચી અને બ્યુટી પાર્લર સહિત 28 પ્રકારની ધંધા રોજગાર કરતાં લોકોને સરકાર મદદ પૂરી પાડે છે.
માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નકકી કરેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થીની 16 થી 60 વર્ષથી ઓછી વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ તરફથી ગરીબી રેખાની યાદી (BPL) માં સમાવેશ થયેલ હોવો જોઈએ. આ લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાની જરૂર નથી.
- અરજદાર ગ્રામ વિસ્તારના હોય તો 1,20,000/– થી ઓછી આવક મર્યાદા હોવી જોઈએ.
- જો અરજદાર શહેરી વિસ્તારનો હોય તો 1,50,000/- થી ઓછી કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા હોય એમને લાભ મળશે.
આ યોજના જાહેર કરવાનો હેતુ
આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ્ય છે. આવા વર્ગના લોકો પૂરતી આવક અને સ્વરોજગાર મેળવી શકે તે માટે સાધન સહાય આપવાનો મુખ્ય હેતુ છે. આ નાગરિકોને સીધી સાધન સહાય આપીને આર્થિક રીતે પગભર બનાવી શકાય છે..
માનવ કલ્યાણ યોજના હેઠળ મળવાપાત્ર સાધનોની યાદી
ક્રમ | ટ્રેડનું નામ |
---|---|
1 | કડિયા કામ |
2 | સેન્ટિંગ કામ |
3 | વાહન સર્વિસીંગ અને રિપેરીંગ |
4 | મોચીકામ |
5 | દરજીકામ |
6 | ભરતકામ |
7 | કુંભારી કામ |
8 | વિવિધ પ્રકારની ફેરી |
9 | પ્લમ્બર |
10 | બ્યુટી પાર્લર |
11 | ઈલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ |
12 | ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ |
13 | સુથારીકામ |
14 | ધોબીકામ |
15 | સાવરણી સુપડા બનાવનાર |
16 | દૂધ-દહિં વેચનાર |
17 | માછલી વેચનાર |
18 | પાપડ બનાવટ |
19 | અથાણા બનાવટ |
20 | ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ |
21 | પંચર કીટ |
22 | ફ્લોર મિલ |
23 | મસાલા મિલ |
24 | રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો) |
25 | મોબાઈલ રિપેરીંગ |
26 | પેપરકપ અને ડિશ બનાવટ (સખીમંડળ) |
27 | હેર કટિંગ (વાળંદ કામ) |
28 | રસોઈકામ માટે પ્રેશર કુકર (રદ કરેલ છે.) |
માનવ કલ્યાણ યોજના રજીસ્ટ્રેશન પ્રક્રિયા
કમિશ્નરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા e-Kutir Gujarat Gov Portal બનાવેલ છે. માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Apply કરવાનું હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર Manav Kalyan Yojana કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google માં “e–Kutir Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
- જેથી Google Result માં જુદી-જુદી વેબસાઈટના પરિણામ બતાવશે.
- જેમાં Commissioner of Cottage and Rural Industries ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
- કમિશ્નર કુટીરની અધિકૃત વેબસાઈટ ખૂલ્યા બાદ Menu Bar માં “E-Kutir” દેખાશે. જેના પર ક્લિક કરવાનું રહેશે.
- ઈ-કુટીર પર ક્લિક કરતાં હવે “Manav Kalyan Yojana 2023” માટેની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
- E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
- Manav Kalyan Yojana 2023 User Id and Password Create
- જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કે Login બનાવેલ નથી તો આ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર વેબસાઇટ | Click Here |
HomePage | Click Here |