હવે વાહન કે મોબાઇલ ચોરીની ફરિયાદ કરો ઘરે બેઠા, ગુજરાત સરકારની નવી એપ

ઓનલાઇન e-FIR: ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ http://gujhome.gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે નાગરિકોના વિશાળ હિતમાં e-FIR ની સુવિધા આપવાનો જનકલ્યાણલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.

e-FIR

e-FIR પોર્ટલ દ્વારા ઘરે બેઠા વાહન કે મોબાઇલ ચોરીની ફરિયાદ કરો. સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના ૭૨ કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે.

e-FIR શું છે?

  • e-FIR એ એક પોર્ટલ છે જેમાં મોબાઈલ ચોરી કે વાહન ચોરી વિશે પોલીસ સ્ટેશનમાં ધક્કા નહિ ખાવા પડે અને ઘરે બેઠા e-FIR કરી શકે એ માટે સીટીઝન પોર્ટલ https://gujhome.gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ ડેવલોપ કરવામાં આવી છે.
  • ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે લોકો હવે તેમના વાહનો અથવા મોબાઈલ ફોનની ચોરીની જાણ કરવા માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને “ઈ-એફઆઈઆર” નોંધાવી શકે છે.

E-FIRની સેવા ક્યારે શરૂ થઈ અને કેમ?

ગુજરાતમાં E-FIRની સેવા શરૂ થવા જઈ રહી છે, પરંતુ દેશનાં અન્ય રાજ્યોમાં પણ આ સેવા શરૂ કરવામાં આવી છે. તો આ સેવા કેમ શરૂ કરવામાં આવી એની જાણકારી મેળવીએ. પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આનાકાની કરતા હોય છે, જેને લીધે અનેક વખત સરકારની છબિ ખરાબ થઈ ચૂકી છે. એ જોતાં રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને ઓનલાઈન કેસ દાખલ કરવાની સુવિધા લાવવા માટે ભલામણ કરી હતી. 2015માં નવેમ્બરમાં કેન્દ્ર સરકારે ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ્સ (CCTNS) હેઠળ આ સુવિધાને મંજૂરી આપી હતી. 2016ના જાન્યુઆરીમાં આ પ્રોજેક્ટ હેઠળ દેશનાં 15 હજાર પોલીસ સ્ટેશન અને 5 હજાર અધિકારીઓની કચેરીમાં ઓનલાઈન FIRની સુવિધા શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.

કઈ રીતે કામ કરે છે આ સીસ્ટમ

e-FIR.માં ફરિયાદી સિટીઝન પોર્ટલ પર ફરિયાદ કરી શકશે. e-FIR વાહન કે ફોન ચોરી અંગે જ ફરિયાદ કરી શકાશે અને ફરિયાદીને તેની ફરિયાદની ઈ-મેલ અથવા SMS થી તમામ જાણ પણ જેતે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે અને પોલીસ 24 કલાકમાં જેતે સ્થળનું નિરીક્ષણ કરશે અને 72 કલાકમાં તેનો નિકાલ કરશે અને નિકાલ ન થાય તો પેન્ડિંગ હોવા અંગેનો ઈ-મેલ પણ તરત જ પોલીસ અધિકારીઓને કરવામાં આવશે અને ત્યારબાદ 120 કલાક બાદ અરજી તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધવામાં આવશે.

આ રાજ્યોમાં લાગુ થશે e-FIR સીસ્ટમ

E-FIR સિસ્ટમ દેશનાં 15 રાજ્યમાં લાગુ કરવામાં આવી છે, જેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, આસામ, પંજાબ, ચંદીગઢ, કેરળ, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને રાજસ્થાન સામેલ છે.

E-FIR કેવી રીતે કરાવશો

E-FIR સિસ્ટમ શરૂ કરનારાં તમામ રાજ્યો પાસે પોર્ટલ અને વેબસાઈટની સુવિધા છે. તમારી સાથે જે રાજ્યમાં ઘટના બને છે તમે ત્યાંની વેબસાઈટ પર જઈ પોતાની ફરિયાદ દાખલ કરાવી શકો છો. ફરિયાદ દાખલ કરાવવા માટે તમારી પાસે માત્ર બે ચીજ હોવી જરૂરી છે, જેમાં પહેલી એક્ટિવ મોબાઈલ નંબર અને બીજી વર્કિંગ ઈમેલ આઈડી. એક્ટિવ મોબાઈલ નંબર એટલા માટે જરૂરી છે, કારણ કે E-FIR બાદ પોલીસ તમારો સંપર્ક કરશે, જેના માટે ફોન નંબર જરૂરી છે, જ્યારે ઈમેલ આઈડીની જરૂર એટલા માટે હોય છે, જેનાથી કેસમાં સત્યની પુષ્ટિ કરી શકાય.

e-FIR કરવાની સંપૂર્ણ રીત

  • સિટિઝન પોર્ટલ અથવા સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર ફરિયાદ કરવી પડશે
  • આ એપ પર રજિસ્ટર કરાવી ફોન કે વાહન ચોરીની વિગતો ઓનલાઈન અપલોડ કરવી પડશે.
  • ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ લઈ એની પર સહી કર્યા બાદ સહી કરેલી અરજી સ્કેન કરી અપલોડ કરવી પડશે.
  • બનાવની વિગતમાં જે પોલીસ સ્ટેશનનું નામ લખ્યું હશે એ પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆઈઆર ફોરવર્ડ થશે અને જો નામ લખેલું નહીં હોય તો પોલીસ કમિશનરની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશનર/પોલીસ અધીક્ષક કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે e-FIR મોકલી આપશે.
  • પોલીસ સ્ટેશનના અધિકારી ઇ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી ઈ ગુજકોપ પર લોગ-ઈન કરી પોર્ટલ વર્કલિસ્ટમાં એ ઇ-ફાયર જોઈ શકશે અને કોઈપણ સંજોગોમાં 24 કલાકની સમયમર્યાદાની અંદર પ્રથામિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા/કર્મચારીની મોકલવાની રહેશે.
  • જે એ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથોસાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે ઇ-મેલ/SMSથી જાણ કરવામાં આવશે.
  • તપાસ અધિકારીએ આ પ્રકારની e-FIR મળતાં પ્રથમ e-FIRનો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના 48 કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઈ કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોર ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરી e-FIR અંગે પ્રાથમિક તપાસનો અહેવાલ આપવો પડશે.
  • થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના 24 કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરી ઇ-ગુજકોપમાં દાલખ કરશે. e-FIRમાં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરશે. સિટિઝન પોર્ટલ/સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના 72 કલાકમાં નિકાલ કરવાનો રહેશે.
  • ઉપરી અધિકારી દ્વારા જાણ થયાના 24 કલાકમાં કાર્યવાહી નહીં કરાય તો નાયબ પોલીસ કમિશનર તથા પોલીસ કમિશનરને ઇ-મેલ/SMSથી જાણ થશે. આમ, ઇ-ફાયર સંદર્ભે પાંચ દિવસમાં (120 કલાકમાં)માં આખરી નિર્ણય અંગે (Final Disposal)ની કાર્યવાહી કરવામાં નહી આવે તો આવી FIRનો નંબર આપોઆપ ફાળવાશે e-FIR અંગે 5 દિવસમાં કાર્યવાહી નહી કરવા બદલ પોલીસ કમિશનર/નાયબ પોલીસ કમિશનર/પોલીસ અધીક્ષક પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરી તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરશે.

મહત્વપૂર્ણ લિંક

સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપClick Here
સીટીઝન પોર્ટલClick Here
HomePageClick Here