ગુજકેટ પરીક્ષા તારીખ 2023 જાહેર : ગુજકેટના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. GUJCET Exam Date 2023 જાહેર કરવામાં આવી છે. આગામી 3 એપ્રિલના સોમવારના રોજ GUJCET 2023 પરીક્ષા લેવાશે જેનો સમય 10:00 થી 16:00 કલાક દરમિયાન જીલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.
આ પણ વાંચો : પ્રધાનમંત્રી વય વંદના યોજના 2023 : હવે વૃદ્ધ નાગરિકોને પણ મળશે માસિક તથા વાર્ષિક પેન્શન |
ગુજકેટ પરીક્ષા તારીખ 2023 જાહેર
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી/ડીપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ 2017થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. વર્ષ 2023 માટે રાજ્યના ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી/ડીપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એ-બીના વિદ્યાર્થીઓની ગુજકેટ પરીક્ષા તારીખ 03-04-2023ને સોમવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.
ગુજકેટ પરીક્ષા તારીખ 2023 જાહેર – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ | ગુજકેટ પરીક્ષા તારીખ 2023 જાહેર |
પોસ્ટ નામ | GUJCET Exam Date 2023 |
સંસ્થા | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરીક્ષા તારીખ | 3 એપ્રિલ 2023 |
સત્તાવાર વેબસાઈટ | www.gseb.org |
જિલ્લા કેન્દ્રો ખાતે થશે પરીક્ષાનું આયોજન
આગામી 03 એપ્રિલ 2023ના રોજ સવારે 10 વાગ્યેથી લઈને 4 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે. જેમાં જીલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
ત્રણ માધ્યમોમાં યોજાશે આ પરીક્ષા
GUJCETનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે. ગુજકેટ માટેની પરીક્ષાનો સત્તાવાર પરિપત્ર 23 જાન્યુઆરી 2023એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે.
ગુજકેટ અભ્યાસક્રમ 2023 / GUJCET Syllabus 2023
ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.
અ.નં. | વિષય | પ્રશ્નો | ગુણ | સમય |
1 | ભૌતિકવિજ્ઞાન | 40 | 40 | 120 મિનિટ |
2 | રસાયણવિજ્ઞાન | 40 | 40 | |
3 | જીવવિજ્ઞાન | 40 | 40 | 60 મિનિટ |
4 | ગણિત | 40 | 40 | 60 મિનિટ |
ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્પત્ર સંયુક્ત રહેશે એટલે કે 40 પ્ર્રશ્ન ભૌતિકવિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણવિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નોના, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પર 80 પ્રત્યુત્તર માટેની રહેશે.
જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR Answer Sheet પણ અલગ આપવામાં આવશે એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેક 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુત્તર માટેની રહેશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓને કરવો પડશે મુશ્કેલીનો સામનો, જાણો તમારું ભવિષ્ય |
મહત્વપૂર્ણ લિન્ક
GUJCET પરીક્ષા પરિપત્ર | Click Here |
HomePage | Click Here |