ગુજરાત વનબંધુ કલ્યાણ યોજના 2022 : ખેડૂતોને મળશે મોટો લાભ

Vanbandhu Kalyan Yojana 2022 | વનબંધુ કલ્યાણ યોજના 2022 : સરકાર એટલે આપણી માબાપ કહેવાય છે.તે જે પણ યોજનાઓ લાવે છે તેમાં રાજ્ય નાં લોકો ને ખુજ જ મદદ મળે છે અને તેઓ આર્થિક રીતે સદ્ધર બની શકે છે.રાજ્ય ની અનુસૂચિત જનજાતિ ના લોકો માટે તેમના વિકાસ માટે તેમના કલ્યાણ માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર રહે છે.માટે જ અનુસૂચિત જનજાતિ ના લોકો માટે ઘણી યોજનાઓ ચાલી રહી છે અને નવી નવી યોજનાઓ અમલ મા પણ મુકવામાં આવે છે.આજે Vanbandhu Kalyan Yojana 2022 જે રાજ્ય નાં અનુસૂચિત જનજાતિ ના લોકો માટે ની એક અગત્ય ની યોજના છે જેનું આપડે આજ નાં લેખ મા વિસ્તૃત માં ચર્ચા કરવાના છીએ.

સરકારશ્રી ના Department Support Agency of Gujarat દ્વારા આદિવાસીઓ માટે ઘણીજ અગત્યની કામગીરી કરેલ છે અને કરી રહી છે.આદિવાસી જાતિ માટે બીજી અન્ય યોજનાઓ પણ અમલ માં છે.જેમાં કે વિદેશ અભ્યાસ લોન, લેપટોપ અને કોમ્પુટર સહાય યોજના અને બ્યૂટી પાર્લર સહાય યોજના.આ યોજનાનો થકી તેઓ નો આર્થિક અને સામાજિક વિકાસ થાય છે અને તેઓ સ્વમાનભેર જીવન વિતાવી શકે છે.

વનબંધુ કલ્યાણ યોજના

આ યોજના માં જોવા જઈએ તો મુખ્યત્વે ગુજરાત રાજ્ય ના અનુસૂચિત જનજાતિ ના લોકો માટે ની યોજના છે.જેમાં DSAG Sahay Gujarat દ્વારા આદિજાતિ વિકાસ વિભાગના કાર્યો કરે છે અને અનુસૂચિત જનજાતિઓનો વિકાસ, જ્ઞાતિ સબંધિત મુદ્દાઓ પર કામ કરવું, તેમના પર થતાં અત્યાચાર રોકવા વગેરે કામગીરી કરે છે.જેમાં IIDP ( આદિજાતિ વિકાસ પ્રાયોજન) થતા TSP ( આદિવાસી પેટા યોજના) દ્વારા આ તમામ વસ્તુઓ પર નજર રાખવામાં આવે છે.વનબંધુ કલ્યાણ યોજના માં મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતરની કીટનું વિતરણ કરવામાં આવે છે.જેની માહિતી આપડે આગળ મેળવીશું.

વનબંધુ કલ્યાણ યોજના- 2022

યોજનાનું નામ વનબંધુ કલ્યાણ યોજના
સહાય આદિજાતિ ખેડૂતોને મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતર મફત મળવાપાત્ર થશે
રાજ્ય ગુજરાત
ઉદેશઆદિજાતિના લાભાર્થીઓને મફતમાં મકાઈ, શાકભાજી અને ખાતરની કીટ મળી રહે તે હેતુ થી.
લાભાર્થી રાજ્યના અનુસુચિત જનજાતિના લોકો
અરજીનો પ્રકાર ઓનલાઈન
સત્તાવાર સાઈટ https://dsag.gujarat.gov.in/

વનબંધુ કલ્યાણ યોજનાના લાભ

આ યોજના અનુસૂચિત જનજાતિ ના લોકો માટે ની યોજના છે.આ યોજના માં લાભાર્થી ને અલગ અલગ રીતે લાભ આપવામા આવે છે.જેમ કે આદિજાતિ ખેડૂતોને મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતર મફત મળવાપાત્ર થશે.

  • આ યોજના માં લાભાર્થી ને યોજના હેઠળ 50 કિલોગ્રામની DAP ખાતરની 1 થેલી અને 50 કિલોગ્રામની Prom ખાતરની 1 થેલીની કીટ મળશે.
  • નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓના ખેડૂત લાભાર્થીઓને શાકભાજીના બિયારણ નો લાભ આપવામાં આવશે.
  • બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓના લાભાર્થીઓને મકાઈના બિયારણનો લાભ આપવામાં આવશે.

વનબંધુ કલ્યાણ યોજના- આવક મર્યાદા

  • અનુસૂચિત જનજાતિ ના લોકો માટે ની યોજના માં લાભાર્થી ને કોઈપણ પ્રકારની વાર્ષીક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.

વનબંધુ કલ્યાણ યોજના માટેની પાત્રતા

ગુજરાત રાજ્ય ના Adijati Vikas Vibhag Gujarat દ્વારા આદિવાસીઓ માટે ની યોજનાઓ ની કામગીરી કરે છે અને તેઓ નાં વિકાસ માં જ તેઓ હંમેશા કાર્યરત રહે છે.આ યોજના નો લાભ લેવા માટે નીચે મુજબ ની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પાત્ર ગણવામાં આવશે.

  • લાભાર્થી અનુસૂચિત જનજાતિ ના હોવા જોઈએ.
  • આ યોજના નો લાભ લેવા માંગતા લાભાર્થી નો BPL નાં દાખલા ની સ્કોર 0 થી 20 ની વચ્ચે હોવો જોરૂર છે.
  • આદિવાસી ખેડૂતો આ યોજના માટે પાત્ર ગણાશે.
  • આદિજાતિ લાભાર્થીઓને કુટુંબદીઠ એક જ કીટ મળવાપાત્ર થશે.
  • લાભાર્થી ને કીટ મેળવ્યા બાદ લોકફળા પેટે 250/- રૂપિયા જમાં કરવાના રહેશે.
  • વનબંધુ કલ્યાણ યોજના માં કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ મેળવવા માટે DSAG Sahay Gujarat પરથી લાભાર્થી એ પોતે ઓનલાઇન અરજી કરી ને લાભ મેળવવાનો રહેશે.

યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો

  • લાભાર્થી ખેડૂત નું આધારકાર્ડ.
  • લાભાર્થી ખેડૂત નું રેશનીંગ કાર્ડ.
  • લાભાર્થી ખેડૂત ની જમીન નું 8/અ ની નકલ.
  • લાભાર્થી ખેડૂત ની જમીન 7/12 ની નકલ.
  • લાભાર્થી ખેડૂત નું અનુસૂચિત જનજાતિ નું પ્રમાણપત્ર.
  • લાભાર્થી ખેડૂત નું BPL નો દાખલો( 0 થી 20 નાં સ્કોર વાળુ).
  • લાભાર્થી ખેડૂત નાં 2 પાસપોર્ટ સાઇઝ ના ફોટો.

વનબંધુ કલ્યાણ યોજના ઓનલાઈન આવેદન

મિત્રો આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી એ સરકાર શ્રી ની આદિજાતિ વિકાસ વિભાગ ની વેબસાઈટ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોય છે.માટે તેની ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે જે જોઈ વિનંતી છે.

  • સૌપ્રથમ “Google Search” માં જઈ ને Dsag Yojana Gujarat ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યા આપની સામે જે તમામ વેબસાઈટ આવશે તેમાંથી આપને Tribal Development Department ની વેબસાઈટ ખોલવાની રહેશે.
  • Tribal Development Department ની વેબસાઈટ નાં Home Page પર નાં “લાભાર્થી રજિસ્ટ્રેશન” પર ક્લિક કરવાનું રહેશે.
  • જ્યા ત્યારબાદ રજિસ્ટ્રેશન માટે નું એક નવું પેજ ખુલશે જેમાં આપને “ યોજના નું નામ” પસંદ કરવાનું રહેશે.જ્યા “કૃષી વૈવિધ્યકરણ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • જ્યા હવે અરજદાર નું ઓનલાઈન ફોર્મ ખુલી જશે.જ્યા વ્યક્તિગત માહિતી નામ, રેશિનીગ કાર્ડ નંબર,BPL નંબર અને જમીન ની માહિતી ભરવાની હોઈ છે.
  • ત્યાર બાદ આગળ લાભાર્થી એ તેમનું આધારકાર્ડ,નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો ભરવાની રહેશે.
  • હવે આગળ નાં પેજ પર લાભાર્થી નાં માંગ્યા મુજબ ના તમામ આધાર પુરાવા ને ઓનલાઈન અપલોડ કરવાના હોઈ છે.જે આપલોડ કરી દેવા.
  • ત્યારબાદ અરજી ને સંપૂર્ણ વાંચી ને Submit કરવાની રહેશે.અને સબમિટ કર્યા બાદ અરજી ક્રમાંક આપને આપવામાં આવશે જે સાચવીને નોંધી લેવો.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here