સરસ્વતી સાધના યોજના : ગુજરાત સરકાર દ્વારા દીકરીઓને મળશે સાયકલ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ધોરણ 9 માં અભ્યાસ કરતી બાળકીઓ ને ઘરે થી સ્કૂલ જવા આવવા માટે તકલીફ ના પડે અને ટાઈમસર શાળાએ પહોચે તે હેતુ થી Saraswati Sadhana Yojana અથવા Cycle Sahay Yojana Gujarat 2022 ને શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકાર ની આ Free Cycle Sahay Yojana અંતર્ગત ધોરણ 9 માં અભ્યાસ કરતી બાળકીઓને Free Cycle ની સહાય આપવામાં આવશે.

મફત સાઇકલ સહાય યોજના 2022

આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત માં છોકરીઓનું (મહિલાઓનું) શૈક્ષણિક પ્રમાણ સાવ નહિવત છે. અને થોડું ઘણું છે એ પણ માતા-પિતા ભેદભાવ અથવા ગરીબી ના કારણે 5/6 ધોરણ સુધી ભણાવી ને ઘર ના કામ માં લગાવી દે છે, બીજા રાજ્ય કે દેશો ની મહિલાઓ એ પ્રગતિમાં પુરુષો ને પણ પાછળ છોડી દીધા છે ત્યારે ગુજરાત માં હજુ આ પ્રમાણ નહિવત પ્રમાણ છે. માટે ગુજરાત સરકાર દ્વારા બાળકીઓ વધુ માં વધુ અભ્યાસ કરે તે માટે ઘણી બધી સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. Gujarat Saraswati Sadhana Yojana પણ આ યોજનાઓ પૈકી એક યોજના છે.

ધોરણ 10 એ એક મહત્વનો શૈક્ષણિક તબબ્કો માનવમાં આવે છે, કારણ કે ધોરણ 10 થી જ પાયાનું ઉચ્ચ કક્ષાનું શિક્ષણ ની શરૂઆત થાય છે. અને ધોરણ 10 માં આપવ્તા પહેલા ધોરણ 9 માં પણ પ્રવેશ લેવો ખૂબ જ અનિવારી છે. ગુજરાત રાજ્યમાં ઘણી બધી પ્રાથમિક શાળાઓ માં માત્ર ધોરણ 8 સુધી જ પ્રાથમિક શિક્ષણ મળે છે, આગળ ના અભ્યાસ માટે માધ્યમિક શાળાઓ માં પ્રવેશ મેળવવા નો રહે છે. માટે માધ્યમિક શાળાઓ માં પ્રવેશ માટે મહિલાઓ ને પ્રોત્સાહન આપવા માટે અને શૈક્ષણિક સુધાર લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા Gujarat Saraswati Sadhana Yojana ને અમલમાં મૂકવામાં આવી છે.

મફત સાઇકલ સહાય યોજના 2022- હાઇલાઇટ્સ

યોજનાનું નામ મફત સાઇકલ સહાય યોજના
હેઠળ ગુજરાત સરકાર
અરજી કરવાનો પ્રકાર ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ https://sje.gujarat.gov.in/
મળવાપાત્ર લાભ સાઇકલ

કોને મળશે મફત સાઇકલ

ગુજરાત સરકાર ની Free Cycle Sahay Yojana અંતર્ગત રાજ્યની બધી જ માધ્યમિક શાળાઓ ને આવરી લેવામાં આવી છે. માટે સાયકલ સહાય યોજના 2022 અંતર્ગત ગુજરાત રાજ્યની કોઈ પણ શાળામાં ધોરણ 9 માં અભ્યાસ કરતી બાળકી ને ફ્રી માં સાયકલ મળવાપાત્ર રહેશે. Free Cycle Sahay Yojana અંતર્ગત ફ્રી માં સાયકલ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા અમુક માપદંડો નક્કી કરવામાં આવેલ છે. જે બાળકીઓ નીચે ના માપદંડો ને અનુસરતી હસે તો જ તેઑ ને ફ્રી માં સાઇકલ મળવાપાત્ર રહેશે.

  • આ યોજના નો લાભ માત્ર મહિલા વિધ્યાર્થિની ને જ મળવાપાત્ર રહેશે.
  • વિધ્યાર્થિની 9 માં ધોરણ માં અભ્યાસ કરતી હોવી જોઈએ.
  • વિધ્યાર્થિની ગુજરાત ની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી હોવી જોઈએ.
  • ગ્રામીણ વિસ્તાર માંથી આવતી વિધ્યાર્થીની ના માતા-પિતા ની વાર્ષિક આવક રૂ,1,20,000 થી વધુ ની ન હોવી જોઈએ
  • શહેરી વિસ્તાર માઠી આવતી વિધ્યાર્થીની ના માતા-પિતા ની વાર્ષિક આવક રૂ.1,50,000 થી વધુ ન હોવી જોઈએ.

યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો

  • વિધ્યાર્થી ની નું આધાર કાર્ડ
  • બોનોફાઇડ સર્ટિફિકેટ
  • માતા-પિતાનો વાર્ષિક આવક નો દાખલો
  • પાસપોર્ટ સાઇટ ફોટો

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઈટ Click Here
HomePageClick Here