શું 4થી વધુ વાર ATM માંથી પૈસા ઉપડવા પર 173 રૂપિયા કપાશે? વાયરલ મેસેજ સત્ય તપાસણી

૨૧ મી સદી એટલે ટેકનોલોજીની સદી આવા બદલાતા સમયમાં ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને ગુમરાહ કરવા માટે અવાર નવાર ખોટા ખોટા મેસેજો લોકો સમક્ષ વાયરલ કરતા હોય છે. એવો જે એક વાયરલ મેસેજ અત્યારે ચાલી રહ્યો છે. શું 4થી વધુ વાર ATM માંથી પૈસા ઉપડવા પર 173 રૂપિયા કપાશે?. આ વાયરલ મેસેજનું સત્ય અહી તપાસવામાં આવ્યું છે. જેની સમગ્ર માહિતી નીચે આપેલી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વાઈરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે ATMમાંથી 4થી વધુ વખત પૈસા ઉપાડવા પર કોઈપણ ગ્રાહકના ખાતામાંથી 173 રૂપિયા કાપવામાં આવશે.

આ પણ વાંચો : ઇન્ડિયા ઓઈલ કોર્પોરેશન દ્વારા 12 પાસ ઉપર ભરતી

રિજર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને કેન્દ્ર સરકાર દેશની વિવિધ બેંકિંગ સુવિધાઓમાં અવાર નવાર ફેરફાર કરતી હોય છે. તેમાં વિવિધ સર્વિસના ન્યામોમાં બદલાવ જેવા ફેરફાર કરે છે. કોઈપણ પ્રકારના ફેરફાર અંગેની માહિતી આરબીઆઈ (RBI) અથવા બેંકો દ્વારા તેમની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવે છે. આજકાલ સોશિયલ મીડિયા પર માહિતી ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગી છે, પરંતુ ટેકનોલોજીના આ યુગમાં ઘણી વખત સમજાતું નથી કે કઈ માહિતી સાચી છે અને કઈ ખોટી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વાઈરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે ATMમાંથી 4થી વધુ વખત પૈસા ઉપાડવા પર કોઈપણ ગ્રાહકના ખાતામાંથી 173 રૂપિયા કાપવામાં આવશે. આ મેસેજનો ફેક્સ ચેક કર્યા બાદ પીઆઈબીએ જણાવ્યું છે કે આ દાવો નકલી છે. તમારી બેંકના એટીએમમાંથી દર મહિને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. આ પછી, પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ 21 રૂપિયા અથવા જો કોઈ ટેક્સ હોય, તો તે અલગથી ચૂકવવો પડશે.

નિયમો અનુસાર, તમારે 5 ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ ચૂકવવાની જરૂર નથી. આ પછી, પૈસા ઉપાડ્યા પછી, તમારે 21 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે અને તેના પર ટેક્સ અલગથી આપવો પડશે. જો કે, બેલેન્સ તપાસવાથી માંડીને મિની સ્ટેટમેન્ટ અથવા પિન બદલવા સુધીના તમામ બિન-નાણાકીય વ્યવહારો મફત રહેશે. 6 મેટ્રો શહેરોમાં (મુંબઈ, નવી દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ) 3 વ્યવહારો (નાણાકીય અને બિન-નાણાકીય) મફત છે અને તમારે તેના ઉપર ફી ચૂકવવી પડશે.

આ પણ વાંચો : બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા 1178 પોસ્ટ પર ધોરણ 10/12 પાસ પર ભરતી જાહેર

જ્યારે નોન-મેટ્રો શહેરોમાં ગ્રાહકો મફતમાં 5 એટીએમ ટ્રાન્ઝેક્શન મેળવી શકે છે. આ પછી, મેટ્રો શહેરોમાં નાણાકીય વ્યવહારો માટે, પ્રતિ ટ્રાન્ઝેક્શન માટે 21 રૂપિયા અને નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન તરીકે 8.50 રૂપિયા ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં, ટ્રાન્ઝેક્શન ફી તરીકે 173 રૂપિયા વસૂલવાનો વાયરલ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે.

નમસ્કાર વાચકો, અમારી વેબસાઇટ www.latestyojana.in માં આપનું સવાગત છે. અહી તમને ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવતી તમામ યોજનાઓની અને અન્ય ઉપયોગી માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ લેખ વાંચવા બદલ આપનો આભાર.