રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના : આ યોજના હેઠળ મળશે 20000 સુધીની સહાય

ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોની મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ કુદરતી કે અકસ્માતમાં મૃત્યું થાય અને આ અચાનક આવી પડેલી આફત/મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં કુટુંબમાં આર્થિક સહાય આપીને મદદરૂપ થવાના હેતુસર સંકટ મોચન યોજના કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.

સંકટ મોચન યોજના

આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પરિવારમાંથી જ મુખ્ય વ્યક્તિનું આકસ્મિક રીતે મૃત્યુ થઈ જાય તો તેના પરિવાર પર એક દુઃખનો પહાડ તૂટી પડે છે. અને પરિવારમાં મુખ્ય સ્ત્રોત મૃત્યુ તરફ વળી જતા પરિવાર ભાંગી પડે છે તેથી આ બધી મુશ્કેલીઓ નો સામનો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.

સંકટ મોચન યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામસંકટમોચન કુટુંબ સહાય યોજના (Sankat Mochan Kutub Sahay Yojana)
આ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે?ગુજરાત સરકાર દ્વારા
લાભાર્થીઓગુજરાત રાજ્યના ગરીબ પરિવારો
મળવાપાત્ર સહાય20,000 રૂપિયા/-
અરજી કરવાનો પ્રકારઓફલાઈન
યોજનાની ઓફિસિયલ વેબસાઈટhttps://sje.gujarat.gov.in/
યોજનાને અમલીકરણ તારીખ15/08/1995

યોજનાનો લાભ કોને મળશે ?

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંકટ મોચન સહાય યોજના હેઠળ જો ગરીબ પરિવારમાંથી કોઇ મુખ્ય વ્યક્તિનો આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમને ગુજરાત સરકાર દ્વારા 20,000/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) રૂપિયા સુધીની સહાય પ્રદાન કરવામાં આવે છે. અને આ સહાય દ્વારા તે પરિવારને ઘણી બધી ફાયદો થાય છે. અને જો આ યોજના હેઠળ ગરીબ પરિવારની કોઈ પત્ની વિધવા પામે તો તેમને આ વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 750/- રૂપિયા મળવાપાત્ર થશે.

લાભાર્થી માટે જરૂરી યોગ્યતા

  • BPL (ગરીબી રેખા) હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (પુરુષ કે સ્ત્રી) નું કુદરતી રીતે કે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેવા કુટુંબને સંકટ મોચન યોજનાનો લાભ મળવાપાત્ર થાય.
  • મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરૂષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.
  • સંકટ મોચન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ અવસાન થયાના 2 વર્ષમાં અરજી કરવાની રહેશે.

કેટલી સહાય મળશે

સંકટ મોચન યોજના એટલે કે યોજના હેઠળ મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક જ વખત રૂપિયા 20,000/- ની સહાય DBT દ્વારા સહાય ચૂકવવામાં આવે છે.

લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ

  • મુખ્ય કમાનાર (સ્ત્રી/પુરુષ) મરણ દાખલો
  • અરજદારનું (સ્ત્રી/પુરુષ)નું આધારકાર્ડ
  • રહેઠાણ સંબંધિત કોઈપણ એક પુરાવો (ચૂંટણીકાર્ડ/રેશનકાર્ડ વગેરે)
  • લાભાર્થીની બેંક એકાઉન્ટની પાસબુક
  • અરજદાર BPL લાભાર્થી હોવા અંગેનો દાખલો
  • કુંટુબના મુખ્ય કમાનાર વ્યકિતનો જન્મનો દાખલો/ઉંમર અંગેનો દાખલો

અરજી ક્યાં કરવી

  • ગુજરાત સરકારની યોજનાઓ માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે નક્કી થયેલ છે. તે રીતે How to Apply for Sankat Mochan Yojana કરવી તે પણ નક્કી થયેલ છે. આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે.
  • ગુજરાત સરકાર દ્વારા Sankat Mochan Yojana Online કરવા માટે ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal Website પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.
  • ગ્રામપંચાયત ખાતે VCE પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. સંકટ મોચન યોજના હેઠળ લાભ લેવા માટે જે-તે ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ડીજીટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • તાલુકા મામલતદાર કચેરી ખાતે “સમાજ સુરક્ષા કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર” પાસે Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ઉપયોગી લીંક

સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here