રેલ કૌશલ વિકાસ યોજના 2022 : આ યોજના હેઠળ 50000 યુવાનોને મળશે નોકરીની તક

મિત્રો તમે બધા કેમ છો? આશા છે કે તમે બધા સારા હશો. આજના આર્ટીકલમાં અમે તમને રેલ કૌશલ વિકાસ યોજના વિશે જણાવીશું. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યુવાનોની બેરોજગારીની સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલ કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે. જેનો હેતુ યુવાનોને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવાનો છે. આજના યુગમાં આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે Rail Kaushal Vikas Yojana (RKVY) શરૂ કરી છે.

આ પણ વાંચો : [AFCAT 01/2023] ભારતીય વાયુસેનામાં આવી ભરતીની જાહેરાત

રેલ કૌશલ વિકાસ યોજના 2022

આ આર્ટીકલમાં, અમે રેલ કૌશલ વિકાસ યોજના 2022 ના હેતુ, લાભો, પાત્રતા, દસ્તાવેજો અને ઑનલાઇન અરજી કેવી રીતે કરવી તે વિશે જણાવીશું. આ માટે તમારે અમારો આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં યુવાનોને તેમની કૌશલ્ય વધુ સારું બનાવવાની તક મળશે અને યુવાનોને ઉદ્યોગ આધારિત કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. જેના કારણે યુવાનોને રોજગારીની નવી તકો મળશે.

રેલ કૌશલ વિકાસ યોજના – હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામRail Kaushal Vikas Yojana 2022
યોજનાની શરૂઆતકેન્દ્ર સરકાર દ્વારા (રેલ્વે મંત્રાલય)
લાભાર્થીભારતના યુવાન
યોજનાનો ઉદેશ્યયુવાનોનો કૌશલ વિકાસ કરવા
કુલ કેટલા યુવાનોને લાભ મળશે50,000
તાલીમનો સમય100 કલાક
ઓફિશિયલ વેબસાઇડhttp://railkvy.indianrailways.gov.in

રેલ કૌશલ વિકાસ યોજના શું છે?

Rail Kaushal Vikas Yojana 2022 શું છે? જો તમે પણ આ સ્કીમ વિશે જાણવા માગો છો, તો આ આર્ટીકલને અંત સુધી ચોક્કસ વાંચજો. આ યોજના માધ્યમથી યુવાનોને તેમનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ મફત કૌશલ્ય શિક્ષણની તાલીમ મળશે અને નવા ઉદ્યોગોમાં રોજગારીની તકો મળશે. જેથી તેઓ સ્વાવલંબી અને આત્મનિર્ભર બનશે. આ યોજના રેલવે મંત્રાલય દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 50,000 યુવાનોને 100 કલાકની તાલીમ આપવામાં આવશે. તાલીમ લીધા બાદ યુવાનોને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે, જેથી યુવાનોને રોજગારીની નવી તકો મળશે.

રેલ કૌશલ વિકાસ યોજનાનો ઉદેશ્ય

રેલ કૌશલ વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રોજગારી આપવાનો છે. જેથી યુવાનો આત્મનિર્ભર અને સ્વાવલંબી બની શકે. આ કૌશલ્ય યોજના ઉદ્યોગ આધારિત હશે. આ યોજનાને કારણે બેરોજગારી ઓછી થશે.

આ પણ વાંચો : Eye Testing App For Android : હવે તારી આંખોના નંબર ચેક કરો આ એપ દ્વારા એકદમ મફત

Rail Kaushal Vikas Yojana 2022 હેઠળ જે તાલીમ આપવામાં આવશે તે નિ:શુલ્ક હશે, જેથી બેરોજગારોને તેમની રુચિ અનુસાર તેમના કૌશલ્યોને નિખારવાની તક મળશે, જેનાથી યુવાનો માટે તેમના જીવનધોરણમાં સુધારો કરવામાં સરળતા રહેશે. આ ઉપરાંત દેશના યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં મજબૂત સહાયતા પ્રદાન કરશે.

આ યોજનામાં કયા કયા વેપારનો સમાવેશ થાય છે?

Railway Kaushal Vikas Yojana માં જે વેપારોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે નીચે મુજબ છે.

  • ઇલેક્ટ્રિશિયન
  • ફિટર
  • મશીનિસ્ટ
  • વેલ્ડર

રેલ કૌશલ વિકાસ યોજનાની વિશેષતાઓ

  • આ યોજના કેન્દ્રીય રેલવે વિભાગ (મંત્રાલય) દ્વારા સંચાલિત કરવામાં આવી છે.
  • આ યોજના દ્વારા યુવાનોને રોજગારી મળશે.
  • આ યોજના હેઠળ દેશના યુવાનો સ્વાવલંબી અને આત્મનિર્ભર બનશે.
  • આ તાલીમ બાદ દેશના યુવાનો રોજગારીની નવી તકો મેળવી શકશે.
  • આ તાલીમ ઓછામાં ઓછી 100 કલાકની હશે.
  • ઓછામાં ઓછા 50,000 યુવક-યુવતીઓને તાલીમ આપવામાં આવશે.
  • આ યોજના દ્વારા યુવાનો અને મહિલાઓને ઔદ્યોગિક તાલીમ મળશે.
  • તાલીમ પૂર્ણ કર્યા બાદ યુવાનોને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
  • રેલ કૌશલ યોજના હેઠળ યુવાનોને વિવિધ તાલીમ કેન્દ્રો દ્વારા તાલીમ આપવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર 18 થી 35 ની વચ્ચે હોવી જોઈએ.
  • અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો જોઈએ.
  • અરજદાર 10મું પાસ હોવો જોઈએ.
  • યુવા વર્ગની પસંદગી 10ના મેરિટ મુજબ અને વેપારના વિકલ્પ અનુસાર કરવામાં આવશે.
  • કોઈપણ ઉમેદવાર રેલવે વિભાગમાં નોકરી મેળવવાનો દાવો કરી શકશે નહીં.
  • ઉમેદવારની તાલીમ માટે 75% હાજરી ફરજિયાત છે.
  • તાલીમનો સમયગાળો ઓછામાં ઓછો 100 કલાક અથવા ત્રણ અઠવાડિયા નક્કી કરવામાં આવ્યો છે.
  • તાલીમ પછી, ઉમેદવારે એક પરીક્ષા આપવાની રહેશે જેમાં લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 55 ટકા અને પ્રેક્ટિકલમાં 60 ટકા સ્કોર કરવો ફરજિયાત રહેશે.
  • આ સ્કીમ બિલકુલ ફ્રી છે પરંતુ ઉમેદવારે પોતાના રહેવા અને જમવાની વ્યવસ્થા પોતાની રીતે કરવાની રહેશે.
  • ઉમેદવારને કોઈ ભથ્થું આપવામાં આવશે નહીં.

આ યોજનામાં અરજી કરવા માટેના આધાર પુરાવા

  • આધાર કાર્ડ
  • સરનામાનો પુરાવો
  • ઈમેલ આઈડી
  • અરજદારના આવક પ્રમાણપત્ર
  • અરજદારનું વય પ્રમાણપત્ર
  • ધોરણ-10 ની માર્કશીટ
  • અરજદારનું ચુંટણી કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર

રેલ કૌશલ યોજનામાં ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

  • ઓનલાઈન અરજી કરવા માટે, સૌ પ્રથમ RKVL યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • હોમપેજ પર, “Apply Here” નો વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
  • આ પછી અરજદારે Signup કરવાનું રહેશે. Signup કર્યા પછી તમારું એપ્લિકેશન ફોર્મ ખુલશે.
  • આ પછી, ઓનલાઈન અરજીમાં માંગવામાં આવેલી માહિતી એક પછી એક ભરવી પડશે.
  • આ પછી તમારે ‘Complete Your Profile’ ના લિંક પર ક્લિક કરવું પડશે.
  • આ પછી તમારે Login માહિતી આપીને Login કરવાનું રહેશે.
  • તે પછી તમારે પૂછવામાં આવેલી માહિતી ભરવી પડશે અને તમારા બધા ડોકયુમેંટ અપલોડ કરવા પડશે.
  • તે પછી સબમિટ બટન પર ક્લિક કરીને તમારું એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન સબમિટ કરો.
  • આ રીતે તમે આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકશો.
આ પણ વાંચો : [KVS] કેન્દ્રીય વિધાલય સંગઠન દ્વારા 13000 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઇટClick Here
HomePageClick Here