પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨, અહીંથી આવેદન કરો

દેશના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના લાગુ કરવામાં આવી છે.આ યોજના અંતર્ગત 9 થી 11 માં અભ્યાસ કરી રહેલા હોશિયાર બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.આ શિષ્યવૃત્તિ નો લાભ લેવા માટે બાળકોએ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે.તો ચાલો જાણીએ PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના વિશે તમામ માહિતી.

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨ : પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ સ્કોલરશીપ યોજના એ સામાજિક વિજ્ઞાન અને અધિકારી વિભાગ દ્વારા ઇન્ડિયા એસએસસી પ્રવેશ પરીક્ષા હેઠળ અરજી જાહેર કરવામાં આવેલી છે. જે પણ ઉમેદવારો આ પરીક્ષા ને પાસ કરે છે તે ઉમેદવાર અને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવે છે અને ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨ – હાઈલાઈટ

યોજનાનું નામ પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના
યોજના શરૂ કરનારનેશનલ ટેસ્ટ એજન્સી
એપ્લિકેશન નો પ્રકારઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ26 ઓગસ્ટ 2022
સતાવાર વેબસાઈટ yet.nta.ac.in

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨ પાત્રતા

  • અરજદાર ભારતીય નાગરિક જોવો જોઈએ.
  • અરજદાર અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT) જાતિના હોવા જોઈએ.
  • વિદ્યાર્થી લીસ્ટ આપેલ તેમાંથી સ્કુલમાં અભ્યાસ કરતો હોવો જોઈએ
  • 2021-22માં ધોરણ 8 અથવા ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
  • વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ.
  • ધોરણ 9ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01-04-2006 થી 31-03-2010 (બંને દિવસો સહીત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ
  • ધોરણ 11ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01-04-2004 થી 31-03-2008 (બંને દિવસો સહીત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ
  • છોકરા-છોકરી બંને અરજી કરી શકે છે.
આ પણ વાંચો : ખેડૂત અસ્ક્માત વીમા યોજના। ખાતેદાર ખેડૂત ને મળશે 2 લાખ ની સહાય

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨ લાભો

ભારત સરકાર હેઠળના વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ આ યોજનાનો સિદ્ધો લાભ પછાત વર્ગોના વિદ્યાર્થીઓને થશે. જે લોકો આર્થિક પરિસ્થિતીના લીધે પોતાનો અભ્યાસ અધ્ધવચ્ચે જ છોડી ડે છે તેવા લોકો માટે આ યોજના આશીર્વાદ રૂપ નીવડશે કારણ કે આ યોજના થકી ગરીબ વિદ્યાર્થીઓને સહાય મળશે. PM યશસ્વી યોજના પારદર્શક છે કારણ કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા આપવાની રહેશે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75000 રૂપિયા મળવા પાત્ર છે અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 1,25,000 રૂપિયા મળવા પાત્ર છે.

આ પણ વાંચો : અમદાવાદ મહાનગરપાલિકા ભરતી ૨૦૨૨

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨ ડોક્યુમેન્ટ લીસ્ટ

  • અભ્યાસનું સર્ટીફીકેટ
  • આધારકાર્ડ
  • બેંક ખાતું (આધાર કાર્ડ સાથે જોડાયેલ)
  • આવકનું પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • ઈ-મેઈલ એડ્રેસ

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨ અરજી કઈ રીતે કરશો?

  • NTAની સત્તાવાર વેબસાઈટ www.yet.nta.ac.in પર જાઓ
  • PM યશસ્વી સ્કોર્શીપ યોજના માટે રજીસ્ટ્રેશન કરો અને લોગીન કરો
  • માંગેલ તમામ માહિતી ભરો અને સબમિટ કરો
  • ફોર્મની PDF કોપી ડાઉનલોડ કરી લ્યો
જાહેરાત અહી ક્લિક કરો
આવેદન લીંક અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો