દેશના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના લાગુ કરવામાં આવી છે.આ યોજના અંતર્ગત 9 થી 11 માં અભ્યાસ કરી રહેલા હોશિયાર બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ને રૂ.75000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ને રૂ.1,25,000 શિષ્યવૃત્તિ મળશે.
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના
આ સ્કોલરશીપ યોજના એ સામાજિક વિજ્ઞાન અને અધિકારી વિભાગ દ્વારા ઇન્ડિયા એસએસસી પ્રવેશ પરીક્ષા હેઠળ અરજી જાહેર કરવામાં આવેલી છે. જે પણ ઉમેદવારો આ પરીક્ષા ને પાસ કરે છે તે ઉમેદવાર અને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવે છે અને ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના – હાઇલાઇટ્સ
યોજનાનું નામ | પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના |
અરજી પ્રક્રિયાની શરૂઆતની તારીખ | 27 જુલાઈ 2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26 ઓગસ્ટ 2022 (રાત્રે 11.50 વાગ્યા સુધી) |
કસોટીની તારીખ | 11 સપ્ટેમ્બર 2022 (રવિવાર) |
સમયગાળો | 3 કલાક |
પરીક્ષા કેન્દ્રમાં છેલ્લી એન્ટ્રી | 01.30 PM |
પરીક્ષા પદ્ધતિ | કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) |
પરીક્ષાની પેટર્ન | ઉદ્દેશ્ય પ્રકાર જેમાં 100 બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQ)નો સમાવેશ થાય છે. |
માધ્યમ | અંગ્રેજી અને હિન્દી |
પરીક્ષા શહેરો | આ પરીક્ષા ભારતના 78 શહેરોમાં યોજાશે |
પરીક્ષા ફી | ઉમેદવારોએ કોઈપણ પરીક્ષા ફી ચૂકવવાની જરૂર નથી |
કેવી રીતે અરજી કરવી? | ઉમેદવારોએ પર ઑનલાઇન અરજી કરવાની જરૂર છે |
NTA માટે હેલ્પલાઇન નંબરો | 011-40759000, 011-6922 7700 (સવારે 10.00 થી સાંજે 5.00 સુધી) |
સત્તાવાર સાઈટ | www.yet.nta.ac.in |
પ્રધાનમંત્રી યશસ્વી યોજનાનો ઉદ્દેશ
આ પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અલગ અલગ યોજનાઓ અને નિયમો દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી,પરંતુ રાજ્ય સરકારો ની યોજનાઓ નો લાભ વિદ્યાર્થીઓને ઓછો મળતો હતો. અત્યાર સુધી ધોરણ 10 પછી મળતી શિષ્યવૃત્તિ માં વર્ષ 1944 પછી કોઈ નવી પહેલ કરવામાં આવી નહોતી એટલે હાલના સમયને અનુકૂળ બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ
- આ યોજના અંતર્ગત ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ને રૂ.75000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ને રૂ.1,25,000 શિષ્યવૃત્તિ મળશે.
- આ શિષ્યવૃત્તિ ની રકમ સીધી બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિની પાત્રતા
- વિદ્યાર્થી ભારતનો સ્થાયી નાગરિક હોવો જોઈએ.
- આ યોજના અંતર્ગત OBC, EWS અને DNT કેટેગરી ના વિદ્યાર્થીઓ ને લાભ આપવામાં આવશે.
- આ યોજના નો લાભ 9 અને 11 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ને જ મળશે.
- યોજનાનો લાભ લેનાર બાળકની માતા પિતાની વાર્ષિક આવક 2.50 લાખ થી વધુ ન હોવી જોઈએ.
- ધોરણ 9 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2006 થી 31 માર્ચ 2010 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
- ધોરણ 11 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2004 થી 31 માર્ચ 2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
- ભાઈઓ અને બહેનો આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
NTA YET પરીક્ષાની પદ્ધતિ
આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે.
વિષય | પ્રશ્નોની સંખ્યા | માર્ક્સ |
ગણિત | 30 | 120 |
વિજ્ઞાન | 20 | 80 |
સામાજિક વિજ્ઞાન | 25 | 100 |
જનરલ નોલેજ | 25 | 100 |
- કુલ 300 માર્કસની પરીક્ષા હશે અને તેનો સમય 3 કલાક નો રહેશે.
- આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે.
- કુલ 300 માર્કસની પરીક્ષા હશે અને તેનો સમય 3 કલાક નો રહેશે.
પ્રધાનમંત્રી યશસ્વી યોજના ઓનલાઇન ફોર્મ
- સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ @ www.yet.nta.ac.in ની મુલાકાત લો.
- વેબસાઈટ ઓપન કર્યા બાદ રજીસ્ટર ઑપ્સન પર ક્લિક કરો.
- ત્યારબાદ રજીસ્ટ્રેશન પેજ ઓપન થશે એમાં તમારી તમામ ડિટેલ્સ ભરો અને Create Account પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ થી Login કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ તમને તમારા ફોર્મની તમામ વિગત દેખાશે જેની તમે પ્રિન્ટ પણ લઈ શકો છો.
મહત્વપૂર્ણ તારીખો
ફોર્મ શરૂ થવાની તારીખ | 27 જુલાઈ 2022 |
ફોર્મની છેલ્લી તારીખ | 26 ઓગસ્ટ 2022 |
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ | 05 સપ્ટેમ્બર 2022 |
પરીક્ષા તારીખ | 11 સપ્ટેમ્બર 2022 |
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | Click Here |
HomePage | Click Here |