કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને પેન્શન બહાર પાડવામાં આવે છે. જેમાં ખેડૂતો માટે પેન્શન યોજના તરીકે પ્રધાનમંત્રી માન-ધાન યોજના અમલી બનેલ છે. દેશમાં LIC દ્વારા પણ વિવિધ પેન્શન યોજના બહાર પાડવામાં આવે છે. જેમાં સરલ પેન્શન યોજના ખૂબ પ્રચલિત છે. પરંતુ આજે આપણે અટલ પેન્શન યોજના 2022 વિશે વાત કરીશું. Atal Pension Yojana 2022 શું–શું લાભ મળે?, કેવી રીતે અરજી કરવી વગેરે તમામ માહિતી જાણિશું.
અટલ પેન્શન યોજના 2023
અટલ પેન્શન યોજના શું છે? અટલ પેન્શન યોજના ઓનલાઈન નોંધણી 2022, Atal Pension Yojana Application Form download: અટલ પેન્શન યોજના મોદી સરકાર 1 જૂન 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં 18 થી 40 વર્ષની વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનામાં જોડાવા પર, તમારે 60 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમની રકમ જમા કરાવવાની રહેશે.
નાગરિકોને 60 વર્ષ પછી તમને 1000 થી 5000 સુધીનું માસિક પેન્શન આપવામાં આવશે. પેન્શનની રકમ તેના પર આધાર રાખે છે કે તમે કયો પ્લાન લીધો છે. જો તમે નાનો પ્લાન લિધો હશે તો તમારે ઓછું પ્રીમિયમ ભરવાનું થશે. જો તમે મોટો પ્લાન લિધો હશે તો તમારે વધુ પ્રીમિયમ ભરવાનું થશે.
અટલ પેન્શન યોજના 2023 – હાઈલાઈટ્સ
યોજનાઓનું નામ | અટલ પેન્શન યોજના (APY) 2022 |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | કેન્દ્ર સરકાર |
શરૂ કરવાની તારીખ | ફેબ્રુઆરી,2015 |
લાભાર્થી | ભારતના તમામ રાજ્યોના દરેક નાગરિક (પુરુષ/સ્ત્રી) |
હેતુ | પેન્શન યોજના પ્રદાન કરવી |
ઓફિશિયલ વેબસાઇટ | https://www.jansuraksha.gov.in/ |
અટલ પેન્શન યોજનાનો હેતુ
જ્યારે પણ આપણે પેન્શન વિશે સાંભળીએ છીએ, ત્યારે આપદા મનમાં સરકારી કર્મચારીઓ, વૃદ્ધપેન્શન, વિકલાગ પેન્શન યાદ આવે છે. પરંતુ સરકારે યુવાનો માટે પેન્શન યોજના શરૂ કરી છે. આ યોજનામાં જોડાવા માટેની લઘુત્તમ ઉંમર 18 અને મહત્તમ ઉંમર 40 વર્ષ છે. 60 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમની રકમ જમા કરવાની રહેશે. આ પછી તમને ન્યૂનતમ 1000 અને વધુમાં વધુ 5000 માસિક પેમેન્ટ આપવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
કેન્દ્ર સરકાર દ્વારા Atal Pension Yojana 2022 અમલમાં મૂકવામાં આવી અને તેના માટે પાત્રતા નક્કી કરેલ છે.
- અરજદાર ભારતનો રહેવાસી હોવો જોઈએ.
- નાગરિક પાસે બેંક અથવા પોસ્ટનું બચત ખાતું હોવું જોઈએ. તે બેંક કે પોસ્ટ ખાતામાં આધારકાર્ડ અને મોબાઈલ લિંક હોવો જોઈએ.
- અરજદારની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- પેન્શન મેળવવા માટે 20 વર્ષનું લઘુત્તમ રોકાણ ફરજિયાત છે.
- માત્ર એજ વ્યક્તિ આ યોજનામાં ભાગ લઈ શકે છે કે જે ઇન્કમટેક્સ રેટર્ન ના ભરતો હોય.
આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ
PMSYM યોજનાના અસંગઠિત કામદારોને 60 વર્ષની ઉંમર પછી 3000ની આર્થિક સહાય કરતી યોજના છે. આ યોજના દ્વારા મળતી આર્થિક સહાય ઘડપણમાં તેમના જીવન ગુજરાન માટે સહાય રૂપ બને છે. PMSYM યોજના 2022 દ્વારા શ્રમયોગીને આત્મનિર્ભર બનવાનો છે. ભારત સરકાર તેની સરકારી યોજનાઓના તમામ ગરીબો અને મજૂરો માટે લાભ અને આર્થિક મદદ કરવા માંગે છે.
અટલ પેન્શન યોજના માટેના આધાર પુરાવા
- આધારકાર્ડ
- મોબાઇલ નંબર
- ઓળખપત્ર
- સરનામાનો પુરાવો
- પાસપોટ સાઈજ ફોટો
- બેંક પાસબૂક
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર વેબસાઇટ | Click Here |
HomePage | Click Here |