અટલ ભીમીત વ્યક્તિ કલ્યાણ યોજના ગુજરાત ૨૦૨૧

કોરોનાકાળમાં ઘણા લોકોની નોકરી જતી રહી છે. એવામાં બેરોજગારોને ભથ્થું આપવા માટે સરકારે ‘અટલ બિમિત વ્યાક્તિ કલ્યાણ યોજના’ (Atal Beemit Vyakti Kalyan Yojana) નામથી એક સ્કીમ શરૂ કરી છે. આ યોજના હેઠળ 50 હજારથી વધુ લોકોને લાભ થયો છે. કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESIC) આ સ્કીમને ચલાવે છે. જો કોરોનાકાળમાં તમારી નોકરી જતી રહી છે તો સરકાર તમને 3 મહિનાનો પગાર આપશે.

અટલ ભીમીત વ્યક્તિ કલ્યાણ યોજના ગુજરાત ૨૦૨૧

ત્રણ મહિનાનો પગાર આપશે મોદી સરકાર ન્યૂજ એજન્સી એએનઆઇના એક રિપોર્ટ અનુસાર જાણકારી આપવામાં આવી છે કે એએનઆઇના અનુસાર કેંદ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ વાત કહી છે. ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે તેમનું મંત્રાલય કોરોનાન લીધે જીવ ગુમાવનાર ESIC સભ્યોને સ્વજનને આજીવન નાણાકીય મદદ પણ પુરી પાડવામાં આવશે.

‘અટલ બિમિત વ્યાક્તિ કલ્યાણ યોજના’ શું છે?
‘અટલ બીમિત વ્યાક્તિ કલ્યાણ યોજના’ હેઠળ બેરોજગારોને આર્થિક મદદ માટે ભથ્થા પણ આપવામાં આવે છે. બેરોજગાર વ્યક્તિ 3 મહિના માટે આ ભથ્થું મેળવી શકે છે. 3 મહિના સુધી તે સરેરાશ સેલરીના 50% દાવો કરી શકે છે. 30 દિવસ પછી યોજનામાં જોડાઈને બેરોજગારીનો દાવો કરી શકાય છે.

આ રીતે યોજનાનો લાભ લો
આ યોજનાનો લાભ મેળવવા માટે, ESIC સાથે જોડાયેલા કર્મચારીઓ ESIC ની કોઈપણ શાખામાં જઈને અરજી કરી શકે છે. ESIC તરફથી અરજીની પુષ્ટિ કરવામાં આવશે અને જો આ સાચું હશે તો રકમ સંબંધિત કર્મચારીના ખાતામાં મોકલવામાં આવશે.

યોજનાનો લાભ કોણ લઇ શકે?

  1. બેકારીના કિસ્સામાં ખાનગી ક્ષેત્ર (સંગઠિત ક્ષેત્ર) માં કામ કરતા લોકો દ્વારા આ યોજનાનો લાભ મેળવી શકાય છે. કંપની દર મહિને સેલરીમાં પીએફ / ઇએસઆઇ કપાત કરે છે.
  2. ખાનગી કંપનીઓ, ફેક્ટરીઓ અને ફેક્ટરીઓમાં કામ કરતા કર્મચારીઓને ESI લાભ આપે છે. તેના માટે ESI કાર્ડ બનાવવામાં આવે છે.
  3. કર્મચારીઓ આ કાર્ડ અથવા પછીથી કંપનીમાંથી લાવેલા દસ્તાવેજોના આધારે યોજનાનો લાભ લઈ શકે છે. ESI નો લાભ તે કર્મચારીઓને ઉપલબ્ધ છે જેમની માસિક આવક 21,000 રૂપિયાથી ઓછી છે.

આ રીતે કરો રજિસ્ટ્રેશન
1. આ યોજનાનો ફાયદો લેવા માટે તમે સૌથી પહેલાં ESI ની વેબસાઇટ પર અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરો. 
2. https://www.esic.nic.in/attachments/circularfile/93e904d2e3084d65fdf7793
3. હવે ફોર્મ ભરીને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ની નજીકની બ્રાંચમાં જમા કરાવો. 
4. ત્યારબાદ ફોર્મ સાથે 20 રૂપિયાનું નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર નોટરીનું એફિડેવિડ પણ લાગશે. 
5. તેમાં AB-1 થી માંડીને  AB-4 ફોર્મ જમા કરાવવામાં આવશે.
6. ખોટા આચરણના લીધે નોકરી જતી રહી હશે તો ફાયદો મળશે નહી. 
7. તે લોકોને સ્કીમનો ફાયદો નહી મળે જેમને ખોટા આચરણના લીધે કંપનીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ક્રિમિનલ કેસ નોધાવવા તથા સ્વેચ્છાએ નિવૃતિ (VRS) લેનાર કર્મચારી પણ યોજનાનો લાભ મેળવી શકશે નહી.